SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જગચિંતામણિ સૂત્ર ના-રવલ્લી - હે જગતના રક્ષક ! આપત્તિના સમયે જે રક્ષણ કરે તે “રક્ષક' કહેવાય છે. આપત્તિમાં પડેલા જીવોનું ભગવાન ત્રણ રીતે રક્ષણ કરે છે, આથી ભગવાન ત્રણ પ્રકારે જગતના રક્ષક છે. રક્ષકના ત્રણ પ્રકારો : ૧. પરમાત્મા દુર્ગતિમાં પડતાં જીવોને બચાવી સદ્ગતિમાં સ્થાપિત કરે છે. દુષ્ટ પ્રવૃત્તિ દ્વારા જે જીવો દુર્ગતિને યોગ્ય કર્મ બાંધી રહ્યા છે, તેવા જીવોને, પરમાત્મા ધર્મનો ઉપદેશ આપી, અકાર્યથી અટકાવીને, સત્કાર્ય કરવાની પ્રેરણા આપે છે. આના કારણે, જીવો દુર્ગતિમાં જતા અટકી સદ્ગતિમાં જાય છે. આ રીતે ભગવાન, તેઓને દુર્ગતિથી બચાવે છે. ૨. પરમાત્મા છકાય જીવોની હિંસાથી અટકવાનો ઉપદેશ આપીને જીવોનું રક્ષણ કરે છે.' જગતના જીવો પ્રાયઃ કરીને સ્વાર્થપ્રધાન અને ભૌતિક સુખની ઈચ્છાવાળા હોય છે. પોતાના સ્વાર્થ અને સુખ ખાતર વાત-વાતમાં તેઓ અનંતા જીવોનો સંહાર કરી નાંખે છે. અનંત કરુણાના સ્વામી એવા પરમાત્માએ પોતાના સુખ અને સ્વાર્થનો ત્યાગ કરી અનેક પ્રતિકૂળતાઓ વેઠીને છકાય જીવોની રક્ષા કરી, તથા છકાયજીવોની રક્ષા કરવાનો ઉપદેશ આપી અન્યને પણ જીવદયા પૂર્વકનું જીવન જીવતા કર્યા. આ રીતે પરમાત્મા છકાય જીવોના રક્ષક છે. ૩. પરમાત્મો કર્મના બંધનમાંથી જીવોને છોડાવીને મોક્ષ પ્રાપ્ત કરાવે છે - આ રીતે તેઓ જગતના રક્ષક છે. કર્મની સાથેના સંબંધના કારણે જ આત્માને સંસારમાં રખડવું પડે છે. કર્મના કારણે જ જન્મ-મરણનાં દુઃખો ભોગવવા પડે છે અને કર્મના કારણે જ મહાદુઃખને ઉત્પન્ન કરનારા રાગાદિ કષાયોને આધીન થવું પડે છે. અજ્ઞાન આદિ દોષોને કારણે જીવ સતત આવા કર્મો બાંધે છે. પ્રતિક્ષણ બંધાતાં આવાં કર્મોને અટકાવવા, જગત્રાતા પ્રભુએ સમ્યજ્ઞાન અને સન્ક્રિયારૂપ સુંદર સાધનો આપ્યાં છે. આ બન્નેના માધ્યમે યોગ્ય જીવો કર્મના બંધનથી મુક્ત બની મોક્ષના સુખને પ્રાપ્ત કરી શકે છે. મોક્ષમાં ગયા પછી તેઓ સ્વયં તો સદા
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy