________________
જગચિંતામણિ સૂત્ર
સૂત્ર પરિચય :
આ સૂત્ર એક ચૈત્યવંદન છે. પ્રાતઃકાળની આવશ્યક ક્રિયામાં આ ચૈત્યવંદન સૂત્રનો ખાસ ઉપયોગ થતો હોવાથી તેનું બીજું નામ “પ્રભાતિક ચૈત્યવંદન' અથવા 'પ્રબોધ ચૈત્યવંદના” છે. ' ચૈિત્યવંદન એટલે “ચૈત્યોને વંદન'. તેમાં “ચૈત્ય' શબ્દ જિનપ્રતિમા, તીર્થો અને જિનમંદિર - આ ત્રણ અર્થમાં રૂઢ છે. આ સૂત્રમાં આ ત્રણેને વંદના કરવામાં આવી છે, માટે જ તેને ચૈત્યવંદન સૂત્ર કહેવાય છે.
“ચૈત્ય' શબ્દ “ચિત્ત” શબ્દ ઉપરથી બનેલો છે. એટલે ચિત્ત સંબંધી કે ચિત્તમાં એવો અર્થ થાય છે. જિનપ્રતિમા, જિનમંદિર આદિ ચિત્તમાં શુભ ભાવોને ઉત્પન્ન કરવાનું પ્રબળ કારણ છે. તે કારણમાં કાર્યનો ઉપચાર કરીને જિન પ્રતિમા આદિને પણ ચૈત્ય કહેવાય છે. આવા ચૈત્યને જેના માધ્યમે વંદન કરાય છે, તેને ચૈત્યવંદન કહેવાય છે. સમ્યક્ પ્રકારે ચૈત્યવંદન કરવાથી શુભ ભાવ ઉપજે છે. તે શુભ ભાવથી કર્મનો ક્ષય થાય છે અને કર્મનો ક્ષય થવાથી સર્વ પ્રકારનું કલ્યાણ થાય છે.
ત્ય' |
- - લલિતવિસ્તરા
1. વિત્તમ્ - અન્ત: વકરાં, તસ્ય ભવ: વા 2. ચૈત્યવન્દ્રનતિઃ સચી, સુમો બાવ: બનાતે |
तस्मात्कर्मक्षयः सर्वं, ततः कल्याणमश्नुते ।।
-લલિતવિસ્તરા