________________
શ્રી સકલકુશલવલ્લિ સાર્થ સૂત્ર
જગતમાં સંપત્તિ બે પ્રકારની છે - ભૌતિક સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ. ભૌતિક સંપત્તિની પરાકાષ્ઠા દેવલોકમાં દેવેન્દ્રપણામાં અને મનુષ્યલોકમાં ચક્રવર્તીપણામાં પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિક સુખની પરાકાષ્ઠા મોલમાં મળે છે. આ બન્ને પ્રકારની સંપત્તિ પરમાત્માની ભક્તિ કરનારને જ મળે છે. પરમાત્માની ભક્તિના પ્રભાવે જ એવું પુણ્ય બંધાય છે કે, જેને કારણે આત્મા દેવ, દેવેન્દ્ર, નરેન્દ્ર, કે ચક્રવર્તીપણાને પામી શકે છે, અને સર્વશ્રેષ્ઠ પરમાત્માની ભક્તિના પ્રભાવે જ અસંગ દશાને પ્રાપ્ત કરી સાધક સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષના મહાસુખને પણ મેળવી શકે છે. આ સઘળી સંપત્તિ પરમાત્માની ભક્તિથી મળે છે, તેથી પરમાત્માને સર્વ સંપત્તિનું કારણ કહ્યા છે. આ પદ બોલતાં સાધક વિચારે કે,
મને સુખ આપનાર બાહ્ય કે અત્યંતર સંપત્તિ આ પ્રભુની સેવાથી જ મળવાની છે. તેથી હવે હું તુચ્છ એવી સંપત્તિ માટે જ્યાં-ત્યાં
ભટકવાનું બંધ કરી શ્રેષ્ઠ સંપત્તિના સ્વામી અને તે આપવા માટે - સમર્થ એવા પ્રભુની ભક્તિમાં જ લીન બની જાઉં.”
સ ભવતુ સતતં વ શ્રેય શાંતિનાથ ! - તે શાંતિનાથ ભગવાન, સદા તમારું કલ્યાણ કરો ! “
ઉપરમાં જે પાંચ વિશેષણો દ્વારા શાંતિનાથ ભગવાનની સ્તવના કરી, તે શાંતિનાથ ભગવાન સ્તુતિ કરનારનું કલ્યાણ કરો !!
શાંતિનાથ ભગવાનના જે વિશેષણો બતાવ્યાં, તે સ્વરૂપે પરમાત્માનું સ્મરણ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે તે પ્રભુ પ્રત્યે આદર અને બહુમાન ભાવ પ્રગટ્યા વિના ન રહે. જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુ આપનારી વ્યક્તિ ઉપર પણ સજ્જન માણસને સદ્ભાવ થયા વિના રહેતો નથી તો જેઓ સર્વ પ્રકારના કુશલને આપનાર છે, પાપનો નાશ કરનાર છે, માગ્યા વિના જેમની પાસેથી બધું જ મળે છે, સમજુ માણસને તેમના પ્રત્યે આદર થાય છે અને તે સદ્ભાવને કારણે જ તેમનું શ્રેય પણ થાય છે, તો પણ કર્તા, સ્તુતિ કરનારને
જાણે આશીર્વાદ આપતા હોય છે, તેની શ્રદ્ધાને મજબૂત કરાવતા હોય તેમ તે " કહે છે કે, “શાંતિનાથ ભગવાન તમારું ય કલ્યાણ કરો ! આ પદ દ્વારા કર્તાની વિશાળ ઉદાત્ત ભાવનાનું દર્શન થાય છે.