________________
શ્રી સકલકુશલવલ્લિ સાર્થ સૂત્ર
પ્રકારના કુશળરૂપ ફળને આપનારી વેલડીના વિકાસ માટે પુષ્પરાવર્ત મેઘ જેવા કહ્યા છે.
સકળ કુશળ એટલે સર્વ પ્રકારનું કુશળ, કુશળ શબ્દનો અર્થ છે કલ્યાણસુખ-ક્ષેમ જગતનો પ્રત્યેક જીવ કલ્યાણ અને સુખને વાંછે છે. સામાન્યતઃ સુખ બે પ્રકારના મનાય છે. ભૌતિક અને આધ્યાત્મિક, તેમાં ભૌતિક સુખ ભ્રામક, પરાધીન અને માત્ર દુ:ખમાં જ પરિણમનારું સુખ છે. જ્યારે આધ્યાત્મિક સુખ સ્વાધીન, અવિનાશી અને પરમ આનંદ સુધી પહોંચાડનારું વાસ્તવિક સુખ છે.
ક્ષમાદિ ગુણોના વિકાસ અને ક્રોધાદિ દોષોના વિનાશ વિના કોઈ જીવ આ વાસ્તવિક સુખ અનુભવી શકતો નથી. જેઓ શાંતિનાથ ભગવાનના ગુણોને ઉપસ્થિત કરી તેમનું ધ્યાન કરે છે, તેમના વચનોનું સતત શ્રવણ-ચિંતન-મનન કરે છે, તેમના જેવા ગુણોને પ્રાપ્ત કરવા તેમનું ભજન-કીર્તન કરે છે, તેમની આજ્ઞાનું પાલન કરે છે; તેઓનું હૃદય મૈત્રી, પ્રમોદ, કારુણ્યાદિ શુભભાવોથી ભીંજાઈ જાય છે, શુભભાવોથી ભીંજાયેલી તે હૃદયભૂમિમાં ક્ષમા, મૃદુતા આદિ ગુણોની વેલડીનો સાહજિક વિકાસ થાય છે. માટે જ પરમાત્માને મેઘ સાથે સરખાવ્યા છે. વળી; પરમાત્માના ધ્યાનાદિથી સાધકના આત્મામાં એવા સંસ્કાર પડે છે અને એવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે કે, ક્યારેક તે ગુણરૂપી બીજને * બીજી કોઈ સામગ્રી ન મળે તો પણ તે ભવોભવ સુધી વિકાસ પામ્યા જ કરે છે. માટે જ ભગવાનને સામાન્ય મેઘ નહિ પણ પુષ્કરાવર્ત મેઘ સમાન કહ્યા છે. 'પ્રભુના વચનરૂપી વરસાદથી સિંચાયેલી ગુણવેલડી જ સકળ સુખ આપનારી બને છે. તેમાં પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા તે ભૌતિક સુખ સામગ્રીનું કારણ બને છે અને કષાયોના નાશ દ્વારા તે આધ્યાત્મિક સુખનું કારણ બને છે. તેથી તે સકળ કુશળરૂપ ફળને આપનારી કહેવાઈ છે.
યાદ રાખવું કે પુષ્પરાવર્ત મેઘ પણ યોગ્ય ભૂમિને જ ભીંજવી ફળદ્રુપ બનાવી શકે છે. મગશેલિયા પત્થરને તો તે પણ ભીંજવી શકતો નથી. બસ, એવી જ રીતે પરમાત્મા પણ શ્રદ્ધાથી કોમળ બનેલા આસ્તિક હૃદયનું જ કલ્યાણ કરે છે. નાસ્તિકનું નહિ. આ પદ બોલતાં સાધક વિચારે કે, “પુષ્કાવર્ત-મેઘ જેવા પ્રભુ સતત કૃપાનો ઘોઘ વરસાવી રહ્યા છે. તેમના વચનનું વાણી સતત વહેવડાવી રહ્યા છે, પરંતુ આ વારને