SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સકલકુશલવલ્લિ સૂત્ર સૂત્ર પરિચય : - આ સ્તોત્ર કોણે બનાવ્યું, ક્યારથી ચૈત્યવંદનમાં બોલાવાનું શરું થયું, તે અંગે કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી, પરંતુ આ સ્તોત્રમાં સામાન્યજન સમજી શકે તેવી સરળ ભાષામાં પરમાત્માના ગુણોનું વર્ણન છે, તેથી ગીતાર્થ ગુરુભગવંતોએ ચૈત્યવંદનના પ્રારંભમાં બોલાવવાનું શરૂ કરાવ્યું હશે, તેમ અનુમાન થાય છે. લોકોકિત એવી છે કે, શ્રી વિજયપ્રભસૂરિ મ.સા ને જ્યારે આચાર્યપદવી આપવામાં આવી ત્યારે તેઓના મુખમાંથી આ શબ્દો સહજ સરી પડ્યા હતા. કહેવાય છે કે, આ શબ્દોમાં સુવર્ણસિદ્ધિની તાકાત ઘરબાયેલી છે. * અત્યારના પ્રચલિત વ્યવહાર પ્રમાણે ચૈત્યવંદનના પ્રારંભમાં જ આ સ્તોત્ર બોલવામાં આવે છે. નાનકડા આ સ્તોત્રમાં અચિંત્ય શક્તિયુક્ત શાંતિનાથ ભગવાનની પાંચ વિશેષણો દ્વારા સ્તવના કરવામાં આવી છે. આ પાંચ વિશેષણથી વિશિષ્ટ અરિહંતપરમાત્માને હૃદયસ્થ કરીને, તેમના પ્રત્યેના - અત્યંત આદરપૂર્વક આપણે આ સ્તોત્રના એક એક શબ્દ બોલીએ તો આપણો - પરમાત્મા પ્રત્યેનો આદરભાવ વૃદ્ધિ પામે છે, તેમની પરમોપકારીતા આદિ ગુણો નજર સામે તરવરવા લાગે છે અને આવા નાથનું શરણ સ્વીકારી સ્વપરના શ્રેયની ઈચ્છા તીવ્ર તીવ્રતર બને છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy