SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૨ ૫. ચાલના : જિજ્ઞાસાવૃત્તિથી પ્રશ્ન ઉઠાવવો તે ચાલના છે. ૭. પ્રત્યવસ્થાન : પ્રશ્નના સચોટ સમાધાન દ્વારા પદનો તાત્પર્યાર્થ જાણવો તે પ્રત્યવસ્થાન છે. ૧૬. સૂત્રનો અર્થ સમજતી વખતે આ છએ લક્ષણોનો તેમાં સમાવેશ થવો જોઈએ. આ છ લક્ષણોના જિજ્ઞાસાદિ ૭ કારણો દર્શાવ્યા છે. આ ૭ અંગો વિના તાત્ત્વિક રીતે સૂત્રની વ્યાખ્યા (અર્થ) સમજાતી નથી. તેના વિના કદાચ સૂત્રનો શાબ્દ બોધ થાય પણ સૂત્રના તાત્ત્વિક ભાવો સુધી પહોંચાતું નથી. તે અંગો નીચે પ્રમાણે છે. ૧. જિજ્ઞાસા જાણવાની ઇચ્છા. ચૈત્યવંદન કરી મારે કયો ભાવ પેદા કરવાનો છે એ જાણવાની અભિલાષા તે જિજ્ઞાસા છે. = ૨. ગુરુ યોગ = ગુરુ સાથેનો સંબંધ. યથાર્થ કહેનારા, સ્વ-૫૨ શાસ્ત્રને જાણનારા, પરોપકારમાં રત, બીજાના આશયને જાણનાર એવા સમ્યગ્ ગુરુની સાથે સમ્યક્ સંબંધ હોય તો જ સૂત્રના ભાવ સુધી પહોંચવાનું જ્ઞાન મળી શકે છે. ૩. વિધિપરતા ભણવાની મર્યાદાઓ બરાબર સાચવવી. જેમકે, ગુરુ પાસેથી સૂત્રોના અર્થ શીખતી વખતે માંડલીમાં વ્યવસ્થિત બેસવું. ગુરુનું આસન પાથરી આપવું, સર્વથા વિક્ષેપનો ત્યાગ કરવો અને ઉપયોગની પ્રધાનતા પૂર્વક ગુરુને સાંભળવા; એ અર્થ જાણવાની વિધિ છે. = = સમ્યક્ જ્ઞાનની સ્થિરતા. આ જ્ઞાન કુતર્કથી રહિત ૪. બોધની પરિણતિ અને માર્ગાનુસારી બુદ્ધિથી યુક્ત હોય. = = ૫. સ્વૈર્ય = જ્ઞાનની સમૃદ્ધિનું અભિમાન ન હોય. બીજાની મશ્કરી ન હોય, વિવાદનો ત્યાગ, અશબુદ્ધિવાળાની બુદ્ધિમાં ભેદ = મુંઝવણ ન ઊભી કરે. ૬. તથા ઉક્તક્રિયા જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું હોય તે પ્રમાણે ક્રિયા કરે. ૭. અલ્પ ભવતા = અલ્પ એટલે કે ચરમ પુદ્ગલપરાવર્ત રૂપી કાળની અંદર અને ભવ એટલે સંસાર. જે વ્યક્તિનો સંસાર આટલો ઓછો હોય તેને અલ્પભવી કહેવાય. આવો અલ્પભવી આત્મા જ સૂત્રોના અર્થને આત્મસાત્ કરી શકે છે. જે વ્યક્તિમાં આ અંગો હોય તે સૂત્રોના અર્થના તાત્પર્ય સુધી પહોંચી શકે છે. તેનામાં જ્ઞાન પરિણામ પામે છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy