________________
ભૂમિકા
રીતે તાલવ્ય, મૂર્ધન્ય, દત્ય અને ઓક્ય વર્ગના અક્ષરો પણ પોતપોતાનાં ઉચ્ચારણ સ્થાનોથી જ બોલાવા જોઈએ. બાળક અને બોબડા માણસની ભાષા જેમ સમજાય નહિ. તેમ સૂત્રના અક્ષરોનું ઉચ્ચારણ, ગળું અને હોઠ દબાવીને કે ભીડીને, શું બોલાય છે એની કાંઈ સમજ પડે નહિ એવી રીતે કરાય નહિ, પણ ગળું અને હોઠ ખુલ્લાં રાખીને અક્ષરો સ્પષ્ટપણે સમજી શકાય એવી રીતે જ કરવું જોઈએ.
૧૭. ગુરુવાયગોવાયે (ગુરુવીયનોપતિ=ગુરુએ આપેલ વાચના(પાઠ) મુજબનું પાઠાંતર કર્યા વિનાનું) સૂત્રપાઠ ગુરુએ આપેલ વાચના મુજબનો જ હોવો જોઈએ. કાલે, વિણએ વગેરે જ્ઞાનાચારના સેવનપૂર્વક, સૂત્રપાઠ ગુરુમહારાજના મુખેથી ધારેલો કે લીધેલો હોવો જોઈએ. પણ કાને પડવાથી શીખી લેવાયેલો કે પુસ્તકમાંથી પોતાની જાતેં જ ભણી લીધેલો અને પાઠના ફેરફારવાળો ન હોવો જોઈએ.
આમ સૂત્રનું ઉચ્ચારણ ૧૭ વિશેષણયુક્ત કરવું જોઈએ. ચૈત્યવંદનનાં સૂત્રો ભણવાની વિધિ :
ચૈત્યવંદન સૂત્રનાં દરેક પદનો અર્થ કરતાં પહેલાં, તે પદના પૂર્ણ અર્થને સમજવા માટે શાસ્ત્રમાં નીચે જણાવેલા વ્યાખ્યાના છ લક્ષણો અને સાત કારણો (અંગો જાણી લેવા) આ છ પ્રકારને ખ્યાલમાં રાખ્યા વિના કોઈપણ સૂત્રનો કે પદનો અર્થ યથાયોગ્ય થઈ શકતો નથી.
૧. સંહિતા : પદનું સ્પષ્ટ ઉચ્ચારણ તે સંહિતા છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં .બનેલાં સૂત્રના એકે એક શબ્દો ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત આદિ પ્રકારે બોલવાના હોય છે. તે બોલતાં અલના આદિ કોઈ દોષો ન લાગે તેની કાળજી રાખી બોલવું તે સંહિતા છે. આ સૂત્રો કઈ રીતે બોલવા તે ગુરુગમથી જાણવું જરૂરી છે. વિનયપૂર્વક ગુરુ પાસેથી જાણી, જો તે જ રીતે બોલાય તો બોલનાર - અને સાંભળનારને પદ શ્રવણકાળમાં જ પદનો અર્થ સ્પષ્ટ થવા લાગે છે.
૨. પદ : જે સૂત્રની વ્યાખ્યા કરવી હોય તેના એકે એક પદોને છૂટાં પાડવાં તે પદ છે. જેમ કે, “નમોડર્યું જે ગરિહંતા' નો અર્થ કરતાં નો, s, f, રહેતા આમ દરેક પદો છૂટાં પાડવાં, તે પદ છે. . ૩. પદાર્થ : છૂટાં પાડેલાં તે દરેક પદનો યથાયોગ્ય અર્થ વિચારવો તે
પદાર્થ છે. જેમ કે, “નમો' એટલે નમસ્કાર ન્યુ એટલે થાઓ ઈત્યાદિ. - ૪. પદવિગ્રહ : પદમાં જો કોઈ સામાસિક પદ હોય તો તે સમાસનો વિગ્રહ
કરવો, સામાસિક પદો છૂટાં પાડવાં તે પદવિગ્રહ છે.