________________
૧૪ -
સૂત્રસંવેદના-૨
ઉચ્ચારણ થવું, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એમ ત્રણ પ્રકારના ઘોષ છે. ગુરુએ બતાવ્યા પ્રમાણે ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિતના યથોક્ત ઉચ્ચારણપૂર્વક સૂત્રોચ્ચાર શીખવો જોઈએ.
૮. અહીવર (મહીનાક્ષરઓછા અક્ષરોવાળું નહિ) સૂત્ર પૂરેપૂરા અક્ષરો સાથે બોલાતું હોય, એક પણ અક્ષર ઓછો ન બોલવો જોઈએ. '
૯. મગ્નવરં (બનત્યક્ષર=અધિક અક્ષરોવાળું નહિ) સૂત્રોમાં હોય એટલા જ અક્ષરો બોલાતા હોય, એક પણ અક્ષર વધારે ન બોલાવો જોઈએ.'
૧૦. બ્રાઉદ્ધવશ્વરં (શવ્યાવિદ્ધાક્ષરમૂઆડું અવળું મરડ્યા વિનાનું) આડીઅવળી મરડીને મૂકેલી રત્નમાળામાં આડા અવળાં થઈ ગયેલાં રત્નોની જેમ સૂત્રના અક્ષરો આડા અવળાં કર્યા વગર સૂત્ર વ્યવસ્થિત રીતે તૈયાર કરેલું જોઈએ.
૧૧. સર્વાર્ષિ (મસ્વરુત=સ્મલના રહિત) જ્યાં અટકવાની જરૂર નથી ત્યાં જરા પણ અટક્યા વિના, વચમાં એ.. ... ન થાય એ રીતે બોલી શકાય તેવું હોવું જોઈએ.
૧૨. મિયિં (મિતિ=એકબીજામાં મળ્યા વગરનું) સૂત્રના અક્ષરો એકબીજા અક્ષરો સાથે મળી જાય, શું બોલાય છે, તેની સમજ ન પડે એવું નહિ, પણ સૂત્રમાં બધા જ અક્ષરો અલગ અલગ સ્પષ્ટપણે સાંભળી શકાય તેવું હોવું જોઈએ.
૧૩. વાસ્ત્રિય (સત્યાગ્રંડિત ખૂબ મારી મચડીને નહિ બોલાતું) બીજાં સૂત્રોની સરખી દેખાતી ગાથા કે પદોની ભેળસેળ વિનાનું, તે જ સૂત્રની ગાથા કે પદ આગળ પાછળ થયા વિનાનું, ક્રમ જાળવીને બોલાવું જોઈએ.
૧૪. પવિપુvoi (પ્રતિપૂર્ણસંપૂર્ણ) સૂત્રમાં શબ્દો, અક્ષર, માત્રા વગેરે હોય તેટલાં બધાં પૂરેપૂરાં જ બોલાય, એકનું એક પદ વારંવાર ન બોલાય તેવું જોઈએ.
૧૫. પુછાયો (પ્રતિપૂષ=ઉદાત્ત આદિ ઘોષવાળું) સ્વાધ્યાય કરતી વખતે ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિતના ઘોષપૂર્વક બોલાવું જોઈએ. ઘોષસમ પદમાં સૂત્ર ભણતી વખતની વાત છે, જ્યારે આ પદમાં સ્વાધ્યાય કરતી વખતની વાત છે, આ તફાવત ધ્યાનમાં રાખવો.
૧૦. dોવિ_મુ ( વિપ્રમુ–ગળું ને હોઠ બરાબર ખુલ્લાં રાખવા પૂર્વક) ક-ખ-ગ વગેરે કેય વર્ગના અક્ષરોનું ઉચ્ચારણસ્થાન કંઠ છે. એટલે કેખ-ગ વગેરે અક્ષરો નાકમાંથી નહિ, પણ ગળામાંથી જ બોલાવા જોઈએ. તેવી જ