SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા થયું છે. ખરેખર આજે ધન્ય બન્યો છું ! આજે હું કૃતાર્થ થયો છું. આ જગતમાં કરવા યોગ્ય કૃત્ય હોય તો આ જ છે, આના સિવાય કાંઈ જ કરવા યોગ્ય નથી.” ચૈત્યવંદનનાં સૂત્રો કેવી રીતે બોલવાં : ચૈત્યવંદન કરતાં પૂર્વે અંતરને ભાવિત કરી, રોમાંચિત બની સાધક ત્રણ જગતના ગુરુ એવા પરમાત્મા પર આંખ અને અંતરને સ્થિર કરી સતત વૃદ્ધિ પામતા શુભ ભાવપૂર્વક અસ્મલિત આદિ ૧૭ ગુણથી યુક્ત લેશ પણ દોષ ન લાગે તે પ્રકારે ચૈત્યવંદનવિષયક સૂત્રો બોલે. સૂત્રના શુદ્ધ ઉચ્ચારણ માટે અનુયોગદ્વાર નામના આગમગ્રંથમાં નિમ્નોક્ત ૧૭ મુદ્દા દ્વારા પ્રકાશ પાથરવામાં આવ્યો છે, ૧. સિવિરવયં (શિક્ષિતશીખેલ) સૂત્ર આદિથી અંત સુધી શબ્દથી અને અર્થથી શીખેલું જોઈએ. ૨. કિ (ચિત—સ્થિર થયેલું) શીખ્યા પછી ભૂલાય નહિ તે માટે સૂત્ર સ્વાધ્યાય દ્વારા હૃદયમાં સ્થિર કરેલું જોઈએ. ૩. નિયે (નિવમૂકધારણાથી જીતેલું) સ્વાધ્યાય કરતી વખતે અથવા કોઈ બોલવાનું કહે કે તરત જ આદિથી અંત સુધી અખંડિત અને અખ્ખલિત રીતે સૂત્ર બોલી શકાય તે રીતે તૈયાર હોવું જોઈએ. ૪. મિર્ચ (મિત—અક્ષરોની સંખ્યાથી માપેલું) સૂત્રના પદો તેમજ ગુરુ-લધુ અક્ષરસંખ્યા નિશ્ચિતપણે જાણેલી હોવી જોઈએ. ૫. ઘરનાં (પરિનિત—બધી રીતે આત્મસાત્ કરેલું) સૂત્ર આનુપૂર્વી અને પચ્ચાનુપૂર્વીથી વારંવાર યાદ કરેલ તેમજ પહેલેથી, છેલ્લેથી કે વચ્ચેથી એમ ગમે ત્યાંથી શરૂ કરીને બોલી શકાય એ રીતે તૈયાર કરેલું જોઈએ. - તેમાં આનુપૂર્વી એટલે નમો અરિહંતાણં, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં.. એવો સીધો ક્રમ અને પશ્ચાનુપૂર્વી એટલે નમો આયરિયાણં, નમો સિદ્ધાણં, નમો અરિહંતાણં. એમ ઊંધો ક્રમ. ૬. નામ (નામસમ=પોતાના નામની જેમ યાદ રાખેલું) સૂત્રને પોતાના નામની જેમ યાદ રાખેલું હોવું જોઈએ એટલે કે, ઊંઘમાંથી ઊઠીને કે અચાનક , પણ બોલી શકાય એવી રીતે યાદ રાખેલું હોવું જોઈએ. ૭. વોસમ (ઘોષસમ=જે અક્ષરોનો જેવો ઘોષ હોય તેવા જ ઘોષથી સ્પષ્ટ
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy