SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. સૂત્રસંવેદના-૨ મનને પ્રસન્ન રાખી શકે છે. તેઓ વિઘ્નો આવતાં પોતાના કર્તવ્યથી કે ધર્મથી લેશ પણ ચલિત થતા નથી. ધીરજ ખોઈ વિહ્વળ બની જવું એ એક અનુચિત પ્રવૃત્તિ છે અને સત્વહીનતાનું પ્રદર્શન છે. સત્ત્વહીન પુરુષો જ સંકટમાં સ્વકર્તવ્યનો વિચાર છોડી પરને ગુનેગાર ગણે છે. આવી અધીરાઈ કે સત્ત્વહીનતા ઉચિત પ્રવૃત્તિ કરનાર જીવમાં હોતી નથી. ૪. શક્તિપૂર્વકનો ત્યાગ : શક્તિ અનુસાર ત્યાગ કર્યા વિના ઔચિત્યયુક્ત જીવન જીવી શકાતું નથી, આથી ઔચિત્યસભર જીવ પ્રામાણિકપણે પોતાની શક્તિનો વિચાર કરીને ધર્મનો સ્વીકાર કરે છે, તેથી શક્તિથી ઉપરવટ જઈને : પણ કોઈ કાર્ય કરતો નથી અને શક્તિથી ઓછું કાર્ય પણ કરતો નથી. ૫. લબ્ધલશ્યતા : એટલે લક્ષ્ય નક્કી કરી તે પ્રમાણે જ ક્રિયા કરવી. સાંસારિક ક્ષેત્રમાં સર્વત્ર જણાય છે કે, જે વ્યક્તિનું લક્ષ્ય નક્કી હોય છે, તે વ્યક્તિ પોતાના લક્ષ્યને અનુરૂપ ઉચિત ક્રિયાઓ કરે છે. તેવી જ રીતે જે વ્યક્તિનું મોક્ષપ્રાપ્તિનું - શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ્ય નક્કી હોય તે જ વ્યક્તિ સર્વત્ર પોતાના લક્ષ્યને અનુરૂપ કષાયને સ્પર્યા વગર ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે. માટે લબ્ધલક્ષ્ય વ્યક્તિ ચૈત્યવંદનનો અધિકારી ગણાય છે. શુદ્ધ ચૈત્યવંદન કરવાની ઇચ્છાવાળા દરેક સાધકે આ પંદરે પંદર ગુણો પ્રાપ્ત કરવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ' ચૈત્યવંદનને યોગ્ય ચિત્ત ચૈત્યવંદનના પ્રારંભ પૂર્વે ચૈત્યવંદન ક્રિયા યોગ્ય માનસિક સ્થિતિનું નિર્માણ કરવા સાધક વિચારે કે, “અરિહંતની વંદના સ્વરૂપ આ ચૈત્યવંદન ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક છે કેમ કે, ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ તો પરિમિત અને અલ્પકાલિન ભૌતિક સુખ આપી શકે છે. જ્યારે આ ચૈત્યવંદના તો અપરિમિત અને અનંતકાળ રહેનાર આત્મિક સુખ આપે છે. વળી, પરમાત્માને કરેલી વંદના સકળ કલ્યાણનું કારણ છે. મિથ્યાત્વરૂપી જળથી ભરેલા અને અનેક કુમતરૂપી જળચર જીવોથી વ્યાપ્ત આ સંસારસમુદ્રમાં આમથી તેમ અથડાતા વિકલ્પોના વમળમાં ફસાતા, આપત્તિના ખડકો સાથે અથડાતા, આયુષ્ય પણ જ્યાં ક્ષણ-બે ક્ષણમાં વિનાશ પામી શકે તેવું છે, એવા સંસારમાં મનુષ્યપણું પ્રાપ્ત કરીને પણ ઘણાં જીવોને જે પ્રાપ્ત થયું નથી તે પરમાત્માનું વંદન મારા કોઈ પરમ ભાગ્યોદયથી આજે મને પ્રાપ્ત
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy