________________
ભૂમિકા
ઉચ્ચસ્વરે બોલ્યા વગર કે ગણ ગણ કર્યા વગર ગંભીર અને મંદ સ્વરે બોલે છે.
૫. પાઠોપયોગ : એટલે સૂત્રો બોલતા હોય ત્યારે મન તેમાં જ પરોવાયેલું રાખવું. વિધિપરાયણ આત્માઓ ચૈત્યવંદનનાં સૂત્રો બોલતા હોય ત્યારે તેમાં જ ઉપયોગવાળા હોય, પરંતુ તે સિવાય જ્યાં-ત્યાં ઉપયોગવાળા હોતા નથી.
વિધિપરાયણ આત્માઓમાં આ પાંચ લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો દ્વારા સામો જીવ સૂત્રાદિ માટે સમર્થ છે કે નહિ તેની તપાસ કરી તેને સૂત્રાદિનું પ્રદાન કરાય છે.
૧૧
સૂત્રાદિ ધર્મ પ્રત્યે બહુમાનવાળા આત્માઓ વિધિમાં પરાયણ હોય છે અને વિધિમાં પરાયણ આત્મા હંમેશા આલોક અને પરલોક સંબંધી કાર્યમાં પોતાના ઔચિત્યનો વિચાર કરીને જ પ્રવૃત્તિ કરતા હોય છે. સૂત્ર ગ્રહણ કરનાર આત્મામાં આવું ઔચિત્ય છે કે નહિ તેનો નિર્ણય કરવા શાસ્ત્રમાં ઉચિત પ્રવૃત્તિનાં આ પાંચ લક્ષણો જણાવ્યાં છે.
ઉચિત પ્રવૃત્તિ કરનારના પાંચ લક્ષણો :
૧. લોકપ્રિયતા :નાના-મોટા સર્વ પ્રત્યે ઉચિત વ્યવહાર કરનારને સૌ કોઈ ઈચ્છે છે. તેની હાજરી સૌને આનંદદાયક બને છે. આથી જ ઔચિત્ય પાલન સર્વ ગુણોમાં શ્રેષ્ઠ ગુણ કહ્યો છે. ઔચિત્યપાલક જીવ જ લોકપ્રિય બની શકે છે.
औचित्यं परमं बन्धु, रौचित्यं परमं सुखम् ।
धर्मादिमूलमौचित्य- मौचित्यं जन मान्यता ।। योगसार - ५-११
અર્થ : ઔચિત્ય (ગુણ) એ શ્રેષ્ઠ ભ્રાતા છે, ઔચિત્ય શ્રેષ્ઠ સુખ છે, ધર્મનું મૂળ ઔચિત્ય છે અને ઔચિત્ય જ લોકમાન્યતા પ્રાપ્ત કરાવે છે.
औचित्यं ये विजानन्ति, सर्व कार्येषु सिद्धिदम् ।
सर्वप्रियंकरा ये च ते नरा विरला जने ।। योगसार - ५-१०
અર્થ : સર્વ કાર્યમાં સિદ્ધિ અપાવનાર ઔચિત્યને જેઓ જાણે છે અને જેઓ સર્વનું પ્રિય કરનારા છે, તેવા મનુષ્યો આ લોકમાં વિરલ (થોડા) જ છે.
૨. અનિંદિત ક્રિયા : ઔચિત્યને સમ્યગ્ પ્રકારે જાણનારા આત્માઓ લોક નિંદાનું કારણ બને તેવી હિંસા, પરસ્ત્રીગમનાદિ પ્રવૃત્તિ કદી કરતા નથી.
૩. સંકટમાં ધૈર્ય : સ્વઔચિત્યને સમજનાર આત્મા જ સેંકડો વિઘ્નો કે, સંકટો આવે તો પણ મનમાં ધીરજ રાખી શકે છે અને પ્રતિકૂળતામાં પણ