________________
સૂત્રસંવેદના-૨
જ્યાં અર્થીપણું હોય ત્યાં બહુમાનભાવને પ્રગટ કરતાં આ લક્ષણો સ્વાભાવિક જોવા મળે છે. આ પાંચ લક્ષણો દ્વારા ચૈત્યવંદન ઉપર કે ચૈત્યવંદનનાં સૂત્રો ઉપર અને ચૈત્યવંદનનું અનુષ્ઠાન બતાવનાર અરિહંત પ્રભુ ઉપર બહુમાન છે કે નહિ તે જાણી પછી યોગ્ય આત્માઓને સૂત્રાદિનું પ્રદાન કરવું જોઈએ.
સૂત્રાદિ માટે સમર્થ તે જીવ ગણાય છે કે, જેઓ વિધિમાર્ગમાં પરાયણ હોય. સૂત્રાદિ ધર્મ માટે તમે સમર્થ છો કે નહિ, તેને જાણવા માટે શાસ્ત્રમાં વિધિપરાયણનાં આ પાંચ લક્ષણો જણાવ્યાં છે. વિધિપરાયણનાં પાંચ લક્ષણો :
૧. ગુરુવિનય : ઈષ્ટ વસ્તુ જેમની પાસેથી મળી શકે એમ હોય તે વ્યક્તિ પ્રત્યે સંસારીજીવો ઉચિત વિનય આદિ વ્યવહાર કરતા હોય છે; તેમ સમર્થ સાધક ચૈત્યવંદનના સૂત્ર આદિ જેમની પાસેથી શીખવા મળે છે તે સદ્ગુરુ ભગવંતો પ્રત્યે ઉચિત વિનય જાળવતો હોય છે.
૨. સત્કાલ અપેક્ષા : એટલે ચૈત્યવંદન કરતાં તેના યોગ્ય કાળની અપેક્ષા રાખવી. જગતમાં જે વસ્તુ જે કાળે કરવાની હોય તે વસ્તુનો અર્થી તે કાળે જ તેમાં પ્રયત્ન કરતો હોય છે; જેમ ધાન્યનો અર્થી વર્ષાકાલમાં ખેતી માટે યત્ન કરે છે, તે જ રીતે ચૈત્યવંદનનાં સૂત્રો કે અર્થ ભણવાની ઈચ્છાવાળો આત્મા પણ ભણવા માટેનો જે સુયોગ્ય કાળ હોય તે કાળે જ ભણવાની ઈચ્છાવાળો હોય અર્થાત્ અકાળે-અસઝાયના સમયે અધ્યયન ન કરે અને કાળે અવશ્ય અધ્યયન કરે તે સત્કાલની અપેક્ષા છે. આ રીતે સમય જાળવનાર જ ચૈત્યવંદન માટે સમર્થ ગણાય.
૩. ઉચિત આસન એટલે બેસવા માટેની યોગ્ય મુદ્રા. સૂત્ર ગ્રહણની વિધિમાં પરાયણ આત્માઓ, શ્રુત ગ્રહણ માટે જે યોગ્ય આસન હોય, તે આસન બરાબર જાળવતા હોય છે.
૪. યુક્તસ્વરતા : એટલે ચૈત્યવંદનના સુત્રને ઉચ્ચારવાનો યોગ્ય સ્વર. વ્યવહારને જાણનારા વ્યવહારમાં જે પ્રસંગે જે રીતે બોલવું યોગ્ય હોય તે રીતે જ બોલે છે, તેમ વિધિપરાયણ આત્મા પણ ચૈત્યવંદનનાં સૂત્રો હૃસ્વ, દીર્ઘ, જોડાક્ષર આદિનું ધ્યાન રાખવાપૂર્વક અસ્મલિત આદિ પ્રકારે ઉપયોગ પૂર્વક અને કોઈને ભક્તિમાં વિઘ્ન ન થાય અને પોતાના ભાવો પણ જળવાઈ રહે તે રીતે