________________
ભૂમિકા
બહુમાનભાવનાં પાંચ લક્ષણો:
૧. તત્કથાપ્રીતિ એટલે ચૈત્યવંદનની કથા પ્રત્યેની પ્રીતિ. જે વ્યક્તિને, જે વસ્તુ પ્રત્યે બહુમાનભાવ હોય છે, તે વ્યક્તિને તે વસ્તુની કથા-વાતો કરવામાં કદી કંટાળો આવતો નથી, તેમ ચૈત્યવંદનનાં સૂત્રો ભણનાર કે ચૈત્યવંદનની ક્રિયા કરનારને પણ ચૈત્યવંદનનાં સૂત્ર કે અર્થવિષયક વાત કરતાં થાક કે, કંટાળો ન આવે પણ આનંદ આવે તો સમજવું કે, તેને ચૈત્યવંદનાદિ પ્રત્યે બહુમાન છે. આવા બહુમાનવાળો ચૈત્યવંદનનો અર્થી કહેવાય છે.
૨. નિંદાનું અશ્રવણ : એટલે ચૈત્યવંદન સંબંધી નિંદા ન સાંભળવી. જે વસ્તુ ગમે છે, તેની કોઈ નિંદા કરે તો તે શબ્દો સાંભળવા ગમતા નથી, તેમ ચૈત્યવંદન કે તેનાં સૂત્રો પ્રત્યે બહુમાનવાળા આત્માઓ પણ ચૈત્યવંદન, ચૈત્યવંદન બતાવનાર અને કરનાર કે તેનાં સૂત્રવિષયક નિંદા સાંભળી શકતા નથી. - ૩. નિંદક ઉપર દયા : ચૈત્યવંદનનાં સૂત્રો પ્રત્યે બહુમાનભાવવાળી
વ્યક્તિને ચૈત્યવંદનની નિંદા કરનાર વ્યક્તિ ઉપર દયા આવે. એ એવું વિચારે કે - “આને બિચારાને આવી કિંમતી વસ્તુની કોઈ કદર નથી, આવી ઉત્તમ - વસ્તુથી આ જીવ વંચિત રહે છે ઉપરથી નિંદા કરી સંસારનું પરિભ્રમણ વધારે છે. આને આ સૂત્રોની, આ ક્રિયાની મહત્તા સમજાય તો સારું.’ આ રીતે તે તેની ભાવદયા વિચારે.
૪. ચિત્તન્યાસ એટલે ચિત્તને ચૈત્યવંદનની ક્રિયામાં સ્થિર કરવું. “જે વસ્તુ ગમે, ત્યાં મન ભમે' - આવી લોકોક્તિ છે, તે બરાબર છે. જે વસ્તુ કે જે વ્યક્તિ જેને ગમી જાય છે તેને તેના ચિત્તને ત્યાં લઈ જવા મહેનત કરવી પડતી નથી, પરંતુ ચિત્ત ત્યાં સ્થિર થઈ જ જાય છે; તેમ ચૈત્યવંદનનાં સૂત્ર કે અર્થ પ્રત્યે બહુમાનવાળા આત્માનું ચિત્ત તે તે સૂત્રો અને તેના અર્થમાં સહજતાથી સ્થિર થાય છે.
૫. પરા જિજ્ઞાસા એટલે શ્રેષ્ઠ કક્ષાની જિજ્ઞાસા. એકવાર મન જ્યાં ચોંટ્યુ તવિષયક અનેક પ્રશ્નો મનમાં ઊઠે છે, તેની માહિતી મેળવવાની ઈચ્છા સહજ થયા કરે છે. તે જ રીતે ચૈત્યવંદનનાં સૂત્રો પ્રત્યે બહુમાનવાળા આત્માને પણ ચૈત્યવંદન વિષયક ઊંડું જ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્છા હોય છે.