SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ચૈત્યવંદનની ક્રિયા સારી કરવાની ભાવના હોવા છતાં જેઓ તથા પ્રકારના મોહનીયાદિ કર્મના પ્રભાવે સારું ચૈત્યવંદન કરી શકતા નથી, તેવા આત્માઓનું આ ચૈત્યવંદન કંઈક અંશે શબ્દને અનુરૂપ ભાવવાળું ન હોવાથી માયારૂપ છે, છતાં આ ભાવ સુધી પહોંચવાનો તેનો સતત પ્રયત્ન, તે માટે ચૈત્યવંદન દ્વારા કરાતી મહેનત, માયાના સંસ્કારોને ઘટાડે છે, જ્ઞાન કરે છે અને માયાના દોષને નિરનુબંધ બનાવે છે. માટે આવા ભાવવાળાએ પણ ચૈત્યવંદન કરવાનું તો ચાલુ જ રાખવું જોઈએ. કેમકે, એનાથી પ્રભુના ગુણો પ્રત્યે બહુમાનભાવ પ્રગટ થાય છે. ક્રિયા છોડી દેવાથી તો ક્યારેય ભાવ આવવાનો નથી. ચૈત્યવંદનનાં સૂત્ર ભણવાનાં અધિકારી કોણ ? : પરમાત્માની ભક્તિ સ્વરૂપ ચૈત્યવંદનની ક્રિયાને સમ્યક અને ભાવપૂર્ણ બનાવવા માટે તે સૂત્રો અને તેના અર્થ જાણવા અનિવાર્ય છે. આથી એ પણ જાણવું પડશે કે, આ સૂત્રો. કે અર્થ ભણવા માટે યોગ્ય અધિકારી) કોણ છે ? " પ્રસ્તુતમાં ચૈત્યવંદનનો અધિકાર હોવાથી ચૈત્યવંદનનાં સૂત્રો ભણવા માટેના અધિકારીની વિચારણા કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ સૂત્ર ભણવું હોય કે કોઈ પણ ધર્મક્રિયા સંબંધી જ્ઞાન મેળવવું હોય તો યોગ્યતાનો વિચાર કરવો અતિ જરૂરી છે, કેમ કે, યોગ્યતા મેળવ્યા વિના ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ સફળ તો નથી થતી, પરંતુ કોઈક વાર અનર્થ પણ ઊભો કરે છે. આ યોગ્યતાને - જણાવતા પૂજ્યપાદ આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે લલિતવિસ્તરા' ગ્રંથમાં નીચેનાં ત્રણ લક્ષણો જણાવ્યાં છે. (૧) અર્થી, (૨) સમર્થ, (૩) શાસ્ત્રથી અનિષિદ્ધ ૧. અર્થી અર્થી એટલે પ્રયોજનવાળો. તે તે ક્રિયા કરવાની અભિલાષાવાળો. ધિર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થમાં જે ધર્મ પુરુષાર્થને જ વધુ મહત્ત્વ આપનારો .. 6. अर्थी समर्थः शास्त्रेणापर्युदस्तो धर्मेऽधिक्रियते, इति विद्वत्प्रवादः, धर्मश्चैतत्पाठादि, कारणे कार्योपचारात् । यद्यैवमुच्यतां के पुनरस्याधिकारिण इति ? उच्यते, - एतद्बहुमानिनो, विधिपरा, उचितवृत्तयश्च । अर्थी = धर्माधिकारी प्रस्तावात् तदभिलाषातिरेकवान् समर्थो = निरपेक्षतया धर्ममनुतिष्ठन्न कुतोऽपि तदनभिज्ञाद् बिभेति शास्त्रेणापर्युदस्तः = आगमेन अप्रतिकुष्टः । स च एवं लक्षणो य : (१.) त्रिवर्गरूपपुरुषार्थचिन्तायां धर्ममेव बहुमन्यते, (૨) દત્તોપરનોવોર્વિધારો, (३.) ब्राह्मणादिस्ववर्णोचितविशुद्धवृत्तिमांश्चेति - ललितविस्तरा
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy