________________
ભૂમિકા
રીતે પરમાત્મા સાથે એકાકાર બની શકે છે, આથી નિશ્ચયનયથી તેઓ જ ચૈત્યવંદન કરવાના મુખ્ય અધિકારી છે.
પરમાત્માના ગુણોમાં તેઓ જ ઠરી શકે જેને પરમાત્માના ગુણોનું યથાર્થ જ્ઞાન હોય, જ્ઞાન પણ માત્ર બુદ્ધિના સ્તરનું નહિ, પરંતુ આંતરિક પ્રતીતિપૂર્વકનું હોવું જોઈએ. મિથ્યાદષ્ટિ જીવો પરમાત્માના ગુણોને આ રીતે જાણી કે અનુભવી શકતા નથી, તો તેઓ ભક્તિ તો કઈ રીતે કરી શકે ? તેથી પરમાત્મ ભક્તિ કરવા પરમાત્માના જરૂરી ગુણોને યથાર્થ રૂપે જાણવાની શક્તિરૂ૫ સમ્યગ્દર્શન જરૂરી છે.
વળી, સમ્યગ્દષ્ટિ જીવો પણ ચારિત્રમોહનીયકર્મના ઉદયવાળા હોય તો તેઓ પોતાનાં મન, વચન, કાયાને બાહ્ય ભાવોમાં જતા અટકાવી પરમાત્મભાવમાં લીન થવારૂપ ગુપ્તિના પરિણામવાળા થઈ શકતા નથી. ગુપ્તિના પરિણામ માટે ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમની જરૂર પડે છે અને તે વિરતિવંત જીવોમાં જ આવી શકે છે, આથી મન-વચન-કાયાને સ્થિર કરી પરમાત્માના ગુણો સાથે તાદાત્ય સાધવાનું સત્ત્વ વિરતિધરમાં જ હોય છે. આથી નિશ્ચયનયથી ચૈત્યવંદન ધર્મના અધિકારી વિરતિધર સમ્યગ્દષ્ટિ જીવો જ છે.
અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવોમાં વિરતિના આવા પરિણામો હોતા નથી તેથી તેઓને નિશ્ચયનય ચૈત્યવંદનના અધિકારી તરીકે સ્વીકારતો નથી. આમ છતાં પણ આવા જીવોનું મિથ્યાત્વ નબળું પડ્યું હોય છે અને કાંઈક અંશે નાશ પણ પામ્યું હોય છે તેથી તેમનું મન પણ બાહ્ય અને અત્યંતર સંસારથી કાંઈક અંશે વિરક્ત બન્યું હોય છે. તેઓમાં પણ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની ઝંખના જાગી હોય છે. આ ભાવનાને ફળીભૂત કરવાનો ઉપાય પરમાત્માના વચનમાં છે. એવું તેઓ જાણે છે. આથી જ તેઓને પરમાત્મા પ્રત્યે ભક્તિ અને બહુમાનભાવ . નિશ્ચયનય પરમાર્થને - વસ્તુના યથાર્થ સ્વરૂપને જોનાર નય તે નિશ્ચયનય છે. જેમ કે,
સાધુના વેશમાં રહેલ સાધુમાં પણ સાધુતા હોય તો જ આ સાધુ છે, તેમ નિશ્ચયનય કહે છે. 4. મિથ્યાદષ્ટિ : જે વસ્તુ જેવી છે તેવી જેઓ જોઈ શકતા નથી, હેય-ઉપાદેયાદિનો વિવેક
કરી શકતા નથી, તેને મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. ભૌતિક સુખસામગ્રી સદા રહેતી નથી અને સુખ પણ આપી શકતી નથી. આમ છતાં તેને મિથ્યાષ્ટિ જીવ શાશ્વત સુખ આપનાર માને છે. તથા સદા સુખ આપનાર ક્ષમાદિ ગુણો અને તેને પ્રાપ્ત કરાવનાર દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ઉપેક્ષા કરે છે. આ જ તેનું મિથ્યાત્વ છે. 5. અપુનબંધક જે આત્મા મિથ્યાત્વ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (અને રસ) હવે પછી
બાંધવાનો નથી, તે અપુનબંધક કહેવાય છે.