SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સૂત્રસંવેદના-૨ “પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે, આવત નહીં કોઉ માનમેં... જિનહિ પાયા તિનહિ છિપાયા, ન કહે કોઉ કે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ સમજે કોઉ સાનમેં.” નિશ્ચયનયની અપેક્ષાએ આ રીતે ધ્યેયની સાથે ધ્યાતાની જે એકરૂપતા તે જ વાસ્તવમાં ચૈત્યવંદન છે. પરમાત્માની આવી ભક્તિ પ્રાપ્ત થતાં સાધક સતત સુરક્ષિતતાનો અનુભવ કરે છે. આથી જ એક કવિએ કહ્યું છે કે, “નિર્ભય હવે હું છું, નાડ છે તુજ હાથમાં.” એક ક્ષણ પણ આવી સ્થિતિનો અનુભવ કરનાર સાધકનું અંતઃકરણ નિર્ભય, નિરિહ (ઇચ્છા વગરનું) અને નિરાકુળ બનતું જાય છે. તેને આત્માપરમાત્મા સિવાય ક્યાંય આનંદ દેખાતો નથી. કર્મકૃત જગતના નાટકનું તે માત્ર પાત્ર હોવાથી તેને તેમાં રાગ-દ્વેષ, હર્ષ-શોક, યશ-અપયશના દ્વંદ્વ રહેતાં. નથી. નિહઁ આનંદનો તે અનુભવ કરી શકે છે. ચૈત્યવંદનનું આ વાસ્તવિક ફળ છે. જેનું વર્ણન કરતાં મહામહોપાધ્યાયજીએ કહ્યું છે- - “ભક્ત વત્સલ પ્રભુ કરૂણા સાગર, ચરણ શરણ સુખદાઈ.” “જસ કહે ધ્યાન પ્રભુ કા ધ્યાવત, અજર અમર પદ પાઈ,” ‘દ્વન્દ્વ સકલ મીટ જાઈ'.... સખીરી આજ આનંદ કી ઘડી આઈ.” ચૈત્યવંદન ધર્મના અધિકારી કોણ ? : જગતના ભાવોથી પર થઈ પરમાત્મા સાથેના તાદાત્મ્યને સાધવાનું કાર્ય સહેલું નથી. માટે જ આ કાર્ય સર્વે કરી શકતા નથી, પરંતુ દેશિવરતિ1 આદિ ગુણસ્થાનકને પામેલા મહાસાત્ત્વિક સમ્યગ્દષ્ટિ જીવો જ વાસ્તવિક 1. ડ્રેસ સબ્બે ય તા, નિયમેળેતો પરિત્તિળો હોફ | રૂટરર્સી વીમિત્ત, ફત્તુ વ્વિય છેફ ફર્જીતિ રૂ।। जे देसविरइजुत्ता, जम्हा इह वोसिरामि कार्य सुच्चइ विरइए इमं ता सम्मं चिंतियव्यमिणं ।। १३ ।। યોગવિંશિકા 2. સમ્યગ્દષ્ટિ : વસ્તુના યથાર્થ સ્વરૂપને જેઓ જાણીને શ્રદ્ધા કરે છે, તેને સમ્યગ્દષ્ટિ કહેવાય છે. સમ્યગ્દષ્ટિ આત્મા સંસારને યથાર્થરૂપે જાણી શકે છે; આથી જ અસાર સંસાર ઉપ૨ તેને અભાવ થાય છે અને સંસારના યથાર્થ સ્વરૂપને જણાવનાર વીતરાગપરમાત્મા પ્રત્યે તેમની ભક્તિની ભાવના જાગે છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy