SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા પ્રીતિના માર્ગે આગળ વધતાં મુમુક્ષુને ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ જાગે છે. પરમાત્માની ભક્તિ સભર ચિત્ત તે પળોમાં એકદમ સ્વસ્થ અને શાંત બને છે. ચિત્ત શાંત બનતાં પ્રભુનાં વચનો સાથે અનુસંધાન સધાય છે. તેમાંથી વચનાનુસારી પ્રવૃત્તિ થાય છે અને વચનાનુસારી પ્રવૃત્તિમાં આગળ વધતાં ધ્યાતા એવો સાધક ધ્યેય સ્વરૂપ પરમાત્મા સાથે એકાકાર બને છે. ભક્તિની આ પળોમાં સાધક જે આત્મિક સુખની અનુભૂતિ કરે છે, તે અવર્ણનીય હોય છે. અનુભવનો આ આનંદ શબ્દથી કહેવો શક્ય નથી. છતાં અનુભૂતિની તે પળોમાં મહાપુરુષોને કેવો આનંદ હશે, તેની સાખ તેમના મુખમાંથી સરી પડેલા શબ્દો જ પૂરે છે. “હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ધ્યાનમેં ધ્યાનમેં બાનમેં; બિસર ગઈ દુવિધા તન-મનકી, અચિરાસુત ગુણ ગાનમેં; હરિહર બ્રહ્મ પુરંદર કી દ્ધિ, આવત નહિ કોઉ માનમેં; ચિદાનંદકી મોજ મચી છે, સમતારસ કે પાનમેં.... હમ મગન ભયે...” પરમાત્મા સાથે બંધાયેલો આવો સંબંધ તે લોકોત્તર સંબંધ છે. લૌકિક સંબંધથી ટેવાયેલા, રૂપ અને રૂપિયામાં આસક્ત થયેલા આત્માઓ માટે તો આવા સંબંધ બાંધવાની વાત તો દૂર રહી, પણ તેઓ આવા સંબંધને સમજી પણ નથી શકતા, પરંતુ જેઓ સંસારથી વિરક્ત બની અને આત્માને અભિમુખ થઈને આત્મિક આનંદને માણવા જ ચૈત્યવંદનની ક્રિયા કરતા હોય, તેઓ આ ક્રિયાના માધ્યમે પરમાત્મા સાથે તાદાત્ય સાધી આત્મિક સુખને પામી શકે છે. આથી જ દેવચંદ્રજી મહારાજાએ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહ્યું કે - “પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે એહ રે...” અનાદિકાલીન જડની પ્રીતિને કારણે સાધક આત્માઓને પણ પ્રારંભિક કક્ષામાં . તો પરમાત્મા સાથે તાદાત્મ કેળવવામાં ઘણા અવરોધો ઊભા થાય છે. પરંતુ સમજપૂર્વક સાધક જેમ જેમ તે જડ પ્રત્યેની આસક્તિને ઘટાડે છે, વૈરાગ્યાદિ ગુણોને કેળવે છે, તેમ તેમ પરમાત્મા સાથેનો નાતો સઘન બનતો જાય છે. જગત સાથેના તેના સંબંધો નબળા પડે છે. ચિત્તમાં ઉઠતી વૃત્તિઓ શાંત થતી જાય છે અને ધીમે ધીમે સાધક પરમાત્માના ગુણોની ઉપાસનારૂપ ભક્તિમાં આગળ વધે છે. ભક્તિની અમૂલ્ય પળોમાં તે સ્વ-પરનો ભેદ ભૂલી જાય છે. યત્કિંચિત્ પણ પરમાત્મા સાથે અભેદ ભાવને સાધતો સાધક આત્માનુભૂતિનો મહાઆનંદ માણી શકે છે. આત્માનુભૂતિના આ આનંદને તે જાણે છે, માણે છે, પણ કોઈને કહી શકતો નથી. માટે જ પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે -
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy