SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૨ को देव-दानव- नरिंद-गणचियस्स धम्मस्स सारमुवलब्भ करे પમાય ? દેવ, દાનવ અને નરેન્દ્રોનો સમૂહ પણ જેની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તે શ્રુતધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ? (અર્થાત્ કોઈ જ ન કરે.) ૨૬૮ - દેવ-દાનવ અને મહારાજાના ગણો પણ જેની શ્રદ્ધા પૂર્વક પૂજા કરે છે તે શ્રુતધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ? શ્રુતજ્ઞાન દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોથી પૂજાયેલું છે. વિશિષ્ટ પ્રજ્ઞાવાન પુરુષો જેને મહાન સુખનું અને દુઃખનાશનું કારણ માની પૂજે છે, તે શ્રુતજ્ઞાન કેટલું મહાન હશે ? આવા મહાન શ્રુતના સારને પામીને એટલે કે તેના સામર્થ્યને જાણીને કોણ તેમાં પ્રમાદ કરે ? અર્થાત્ કોઈ ન કરે. ‘જ્ઞાનય શ્રુતજ્ઞાનનું અનંતર સામર્થ્ય અજ્ઞાનને ટાળવાનું, મોહને ઓળખાવવાનું અને કર્મસ્થિતિનું ભાન કરાવવાનું છે અને પરંપર સામર્થ્ય સંયમ માર્ગમાં પ્રવૃત્તિ કરાવવા દ્વારા મોક્ષ સુધી પહોંચાડવાનું છે. આથી જ કહેવાય છે ♥ વિરતિ:' શ્રુતજ્ઞાનની આ શક્તિને જાણીને સાધક સતત શ્રુતજ્ઞાન માટે પ્રયત્ન કરે છે. શ્રુતજ્ઞાન દ્વારા જેટલું જાણવા મળે છે, તેને અનુરૂપ જીવન જીવવા માટે મહેનત કરે છે. પોતાની એક ક્ષણ પણ શ્રુતના ઉપયોગ વિનાની ન જાય તે માટે અત્યંત જાગૃત રહે છે. કેમ કે, તે જાણે છે કે, આ શ્રુત નિર્દિષ્ટ ચારિત્રજીવન જ મારા આત્માનું કલ્યાણ કરનારું છે. આથી જ શ્રુતધર્મના સારને જાણનારા મુનિઓ તેલપાત્રધના દૃષ્ટાંતથી સંયમયોગમાં હંમેશા અપ્રમત્તભાવવાળા રહે છે. - 6. તેલપાત્રધર : ચોરીના ગુના બદલ મોતની સજાને પામેલ શ્રેષ્ઠિપુત્રને રાજાએ કહ્યું, આ તેલથી ભરેલું પાત્ર લઈ, સમગ્ર નગર ફરી એક પણ ટીપું પાડ્યા વિના પાછો ફરે તો તારી સજા હું માફ કરીશ. નગરમાં જોવા યોગ્ય, સાંભળવા યોગ્ય, ખાવા-પીવા યોગ્ય ઘણું હતું. છતાં મોતના ભયથી મુક્ત થવા માટે ચંચળ મનના યુવાને પણ મનને તેલપાત્રમાં સ્થિર કર્યું. મન-વચન-કાયાને એકાગ્ર કરી સ્થિરતાપૂર્વક એક ટીપું પણ નીચે ન પડે તે રીતે યુવાન સમગ્ર નગર ફરી સાંજે રાજમંદિર પાછો ફર્યો. તેની મોતની સજા માફ થઈ. એક જ મરણના ભયે યુવાને જે રીતે મન-વચન-કાયાને સ્થિર કર્યાં. તે જ રીતે અનંતાં મરણનો ભય જેની આંખ સમક્ષ છે, તેવો મુનિ યાવજ્જીવન સંયમના સર્વ યોગમાં મનને સ્થિર રાખી શકે છે. આમ મુનિ તેલ પાત્રધરની જેમ અપ્રમત્તભાવવાળા હોય છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy