________________
૨૧૮
સૂત્રસંવેદના-૨
આ વનાળી' પદ પૂર્વના દરેક પદ સાથે જોડવાનું છે. એટલે વધતી જતી શ્રદ્ધાથી, વધતી જતી મેધાથી, વધતી જતી વૃતિથી, વધતી જતી ધારણાથી અને વધતી જતી અનુપ્રેક્ષાથી એમ અર્થ કરવાનો છે.
ટામિન વડિલ્સ - હું કાયોત્સર્ગમાં રહું છું.
આ પદથી કાયોત્સર્ગનો સ્વીકાર કરાય છે. પૂર્વમાં “કરેમિ પદ દ્વારા હું કરીશ, એમ કહી ક્રિયાની સન્મુખતા બતાવી હતી. હવે ક્રિયાની અત્યંત નિકટતા હોવાથી, ક્રિયાકાળ અને સમાપ્તિકાળનો અત્યંત અભેદ હોવાથી હું કાયોત્સર્ગમાં રહું છું' તેમ કહ્યું છે. આ પદ બોલતા સાધક એક સંકલ્પ કરે છે કે,
“ભગવંત ! આ કાયોત્સર્ગની ક્રિયા હું વધતી જતી શ્રદ્ધા . આદિ ભાવપૂર્વક કરવા માંગુ છું. શ્રદ્ધા આદિ ભાવ સાથે આ ક્રિયા કરવી કપરી છે. તોય હે પ્રભુ ! આપ એવી કૃપા વરસાવજો એવા આશીર્વાદ અર્ધજો કે મારી આ પ્રતિજ્ઞા અણીશુદ્ધ પાણી હું પ્રભુમય બની શકું.”