SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ જયવીયરાય સૂત્ર પરાર્થક૨ણથી થાય છે. જ્યાં સુધી સ્વાર્થનો ત્યાગ કરી પરાર્થે પ્રયત્ન ન પ્રારંભાય ત્યાં સુધી મોક્ષમાર્ગમાં ઉપયોગી અને આત્માનું હિત કરી શકે તેવો પુરુષાર્થ થઈ શકતો નથી, આથી શાસ્ત્રકારે તેને સાચા અર્થમાં પુરુષાર્થ જ કહ્યો નથી; આથી સ્વ-પુરુષાર્થની સફળતાને ઈચ્છતા સાધકે પરાર્થકરણ કરવું જ જોઈએ. ૧૮૧ આ પરાર્થકરણ પણ દ્રવ્ય-ભાવ કે લૌકિક-લોકોત્તર ભેદથી બે પ્રકારે થાય છે. બાહ્ય રીતે વસ્ત્ર, પાત્ર, ધન આદિની જરૂરિયાતવાળા આત્માઓને તે તે આપીને જે પરોપકાર કરાય છે, તેને દ્રવ્યપરાર્થકરણ કહેવાય છે અને કોઈપણ આત્માને નિઃસ્વાર્થભાવે ધર્મમાં જોડવો, તેના જ્ઞાનાદિ ગુણોના વિકાસ માટે પ્રયત્ન કરવો તે ભાવપરાર્થકરણ છે. પ્રારંભિક કક્ષામાં સાધક મર્યાદિત ક્ષેત્રમાં એટલે પોતાને જૈની સાથે સંબંધ છે, તેવાં સ્વજનો, સ્વજ્ઞાતિજનો આદિને જીવન જરૂરિયાતની વસ્તુ આપીને ધર્મમાર્ગમાં સહાયક બની આ પરોપકાર કરે છે અને આ જ પરોપકારની પરાકાષ્ઠાને પામેલા અરિહંતના આત્માઓ કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના જગતના જીવ માત્રનું હિત કરવા ધર્મમાર્ગનો ઉપદેશ આપે છે, આ ભાવ-પરાર્થકરણ છે. આ ‘પરાર્થકરણ’ ગુણ વિના લોકોત્તર ધર્મની આરાધના ક્યારેય થઈ શકતી નથી. આ પદ બોલતાં સાધક પ્રભુને પ્રાર્થના કરે છે કે, “હે નાથ ! અનાદિકાળથી પ્રવર્તતી આ સ્વાર્થ અને સંકુચિત વૃત્તિ મને પરોપકારમાં પ્રવર્તતા અટકાવે છે. ઔદાર્યાદિ ગુણોમાં વિઘ્ન કરે છે. હે નાથ ! આપ કૃપા કરો ! અને સ્વાર્થ પ્રઘાન મારા દોષોનો વિનાશ કરો !” જિજ્ઞાસા : પાર્થકરવાથી કેવા લાભો થાય ? તૃપ્તિ : પાર્થકરવાથી ઉદારતા આવે છે, સીર્યની ઉત્કટતા પ્રાપ્ત થાય છે, સંકુચિત કે સ્વાર્થવૃત્તિનો ત્યાગ થાય છે, પરોપકારી પુરુષનો યશ સર્વત્ર ફેલાય છે તેમનું વચન અને વર્તન સર્વ લોકને ગ્રાહ્ય બને છે અને તે અનેકને ધર્મપ્રાપ્તિનું કારણ બને છે. વળી, નિરાશંસ ભાવે પરાર્થ કરનાર આત્માને પુણ્યાનુબંધીપુણ્યનો બંધ થાય છે, જે ભવાંતરમાં તેને ઉત્તમ સંયોગોની પ્રાપ્તિ કરાવે છે. ઉપરોક્ત છ માંગણી લૌકિક સૌંદર્યસ્વરૂપ છે કેમ કે, લોક પણ એવું માને છે કે, ધર્મી આત્મામાં આ છ ગુણો અવશ્ય હોવા જોઈએ. વળી, ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ તેમ સર્વ આસ્તિક દર્શનકારો પણ માને છે અને મોક્ષ પ્રત્યેનો
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy