________________
સૂત્રસંવેદના-૨
લગાવ ભવની વિરક્તિ વિના શક્ય નથી, તેથી જ ભવનિર્વેદ આદિ છએ ગુણો લોકોત્તર ધર્મની આરાધના માટે તો જરૂરી છે જ, પરંતુ લૌકિક ધર્મની આરાધના માટે પણ અત્યંત જરૂરી છે. શક્તિ અને સંયોગાનુસાર આ છ ગુણો જેનામાં દેખાતા નથી, તેવા આત્માઓ કદાચ બાહ્યથી ધર્મ કરતા હોય તો પણ તેનો તે ધર્મ, ધર્મસ્વરૂપ ન બનતાં, અધર્મસ્વરૂપ બની જાય છે.
૧૮૨
લૌકિક સૌંદર્યસ્વરૂપ ગણાતી આ છ માંગણી ભગવાન પાસે કરી. હવે લોકોત્તર ધર્મની આરાધના માટે જેની અત્યંત જરૂર છે, તેવા `‘શુભ ગુરુનો યોગ' આદિની માંગણી કરતાં કહે છે -
સદ્ગુરુ સાથેનો યોગ. (વિશિષ્ટ ચારિત્રસંપન્ન આત્મા
सुहगुरुजोगो સાથેનું પોતાનું જોડાણ.)
-
“હે વીતરાગ ! આપના પ્રભાવથી મને સદ્ગુરુ સાથેનો સુયોગ પ્રાપ્ત થાઓ !”
જેઓ કંચન-કામિનીના સર્વથા ત્યાગી છે, અહિંસા આદિ મહાવ્રતોનું અણિશુદ્ધ પાલન કરે છે, નિર્દોષ આહાર-પાણીથી જીવનનો નિર્વાહ કરે છે, ઉત્સર્ગ-અપવાદમય ભગવાનનાં શાસ્ત્રોને જાણી તેને અનુરૂપ જીવન જીવે છે, તેવા વિશિષ્ટ ચારિત્ર સંપન્ન આત્મા જ સુગુરુ કહેવાય છે. આવા ગુરુ સાથેનો યોગાવંચક ભાવે થતું જોડાણ તે જ સુગુરુનો યોગ છે.
આવા
આ સાતમી માંગણીમાં બે શરતો છે. (૧) ગુરુ તે સુગુરુ જોઈએ અને (૨) સુગુરુ સાથે પણ સુયોગ જોઈએ. આમ કહેવાનું કારણ એ છે કે, આ જગતમાં ગુરુ પણ બે પ્રકારના છે અને ગુરુ સાથે સંબંધ પણ બે પ્રકારે થાય છે. ઉપ૨ વર્ણવેલા ગુરુના ગુણોથી જે યુક્ત છે, તેઓ સુગુરુ કહેવાય છે અને જેઓ માત્ર વેષધારી છે, ગુરુ તરીકેના ગુણો જેનામાં નથી તે કુગુરુ કહેવાય છે. તે કુગુરુ સ્વયં કલ્યાણના માર્ગે પ્રયત્નવાળા ન હોવાથી તેઓ અન્યને પણ કલ્યાણને માર્ગે પ્રવર્તાવી શકતા નથી. કોઈકવાર ઉપદેશ આપી કોઈ પાસે સત્કાર્ય કરાવે તોપણ સ્વયં તેઓમાં તે ભાવ નહિ હોવાના કારણે ઉપદેશની પણ તેવી અસર થઈ શકતી નથી. આથી જ કલ્યાણકામી આત્માનો સુગુરુ સાથેનો યોગ-સંબંધ થવો જોઈએ. કેમકે, ‘ભાવાત્ ભાવ: પ્રસૂત્તે' ભાવથી ભાવની ઉત્પત્તિ થાય છે.
સુગુરુ સાથેનો સંબંધ પણ બે રીતે થઈ શકે છે. એક સુયોગ અને બીજો કુયોગ. ગુણવાન ગુરુ સાથે ગુણપ્રાપ્તિની ઈચ્છાથી કે આત્મહિતની ઈચ્છાથી જે સંબંધ થાય છે, તેને સુયોગ કહેવાય છે અને સુગુરુ સાથે માનાદિની ઈચ્છાથી,