________________
સૂત્રસંવેદના-૨
કષાયોની મંદતા ભગવાનની કૃપા વિના પ્રાપ્ત થતી નથી. તેથી જ સંસારથી વિરક્ત થયેલો આત્મા ભગવાન પાસે પ્રાર્થના કરે છે,
૧૮૦
“હે પરમેશ્વર ! આપની કૃપાથી મારા માનાદિ કષાયો નષ્ટ થાઓ અને મને ગુરુજનની પૂજાનો સુઅવસર હંમેશા પ્રાપ્ત થાઓ !!”
સ્વાર્થી-સંકુચિત મનોવૃત્તિવાળી વ્યક્તિ લોકોત્તરમાર્ગ ઉપર ચાલી શકતી નથી, માટે આવી વૃત્તિને ત્યજી હૃદયને વિશાળ બનાવવા અને ઔદાર્યાદિ ગુણોને કેળવવા હવે પરાર્થકરણની છઠ્ઠી માંગણી કરાય છે.
પત્થરાં હૈં - અને પરોપકારનું કારણ
“હે વીતરાગ ! આપના પ્રભાવથી મારામાં પરોપકાર વૃત્તિ પ્રગટે એવી કૃપા કરો.”
પ૨ એટલે બીજા, અર્થ એટલે પ્રયોજન અને કરણ એટલે ક૨વું. આમ, બીજાનું કાર્ય કરવું, તે ‘પરાર્થકરણ’ અથવા પરોપકાર કહેવાય છે. બીજાને ઉપયોગી થવું, બીજાને સહાયક થવું, પોતાની તન, મન અને ધનની શક્તિ બીજાના કામે લગાડવી તે પરાર્થકરણ10 છે.
પરાર્થકરણ નામનો આ ગુણ જીવનમાં સારભૂત છે. જેમનામાં પરાર્થકરણ નથી, તેવા આત્માઓ કદી લોકોત્તર ધર્મને પામી શકતા નથી. કેમ કે, સ્વાર્થ કે સંકુચિત વૃત્તિનો ત્યાગ કર્યા પહેલાં કદી ધર્મની શરૂઆત જ થતી નથી. ધર્મ કરનાર આત્મામાં હંમેશા હૃદયની કોમળતા અને વિશાળતા અતિ જરૂરી છે. આ બન્ને ગુણો પાર્થકરણ ગુણવાળા આત્મામાં જ હોઈ શકે છે. લલિતવિસ્તરામાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ તો આ ગુણને ‘પૌરુષચિહ્ન11 કહ્યું છે અર્થાત્ પુરુષાર્થની નિશાની કહી છે. જેનામાં પરાર્થકરણ નથી, તે આત્માઓ સાચા અર્થમાં પુરુષાર્થવાળા જ નથી. કેમકે, તેમનો પુરુષાર્થ તેમના જ આત્માનું હિત કરી શકતો નથી. એટલે જેને આત્માનું હિત કરવું છે, તેવા આત્માએ પરોપકાર નામના આ ગુણનો અવશ્ય વિકાસ ક૨વો જોઈએ.
મોક્ષ પ્રકૃષ્ટ કોટિના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે અને સત્પુરુષાર્થની વૃદ્ધિ
10. ‘પરાર્થરાં ૬ પરપ્રયોનનારિતા ૬'
11. પરાર્થરળ ૨ સત્ત્વાર્થરાં હૈં નીવજોસાર, પૌરુષિમંતત્।
લલિતવિસ્તરા ટીકા
- લલિતવિસ્તરા
-