SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ સૂત્રસંવેદના-૨ બચવા માટે લગ્ન તો કરવો પડશે - કો’ક જે કો’ક પાત્ર સાથે જોડાવું તો પડશે. તો યક્ષે હે પ્રભુ ! આપના પ્રભાવથી મને એવા પાત્રનો સંયોગ થાય કે - જેથી મારું મન મોક્ષમાર્ગથી લેશ ય ખસે નહિ. ” આ રીતે શ્રાવક મોક્ષમાર્ગમાં મનને ટકાવવા સ્ત્રી, ધન કે નિરોગી શરીર આદિની માંગણી કરે અને સાધુ મોક્ષમાર્ગની સાધનામાં સાધનભૂત શરીરને ટકાવવા નિર્દોષ ભિક્ષા કે યોગ્ય સ્વાથ્ય આદિની માંગણી કરે તો તેને પણ *ઈષ્ટફળસિદ્ધિ' રૂપે ગણી શકાય છે. કારણ કે ભવવિરક્ત આત્માને લૌકિક પદાર્થોની અપેક્ષા કરતાં ધર્મની પ્રગતિની અપેક્ષા વધારે હોય છે, માટે ધર્મમાં સહાયક બને તેવા લૌકિક પદાર્થની માંગણી “ઈષ્ટફળસિદ્ધિ' તરીકે કરાય છે. આ રીતે અંતઃકરણપૂર્વક પરમાત્મા પાસે માંગણી કંરવાથી તેવા પ્રકારનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે અને કર્મ નિકાચિત ન હોય તો ઈષ્ટની પ્રાપ્તિ થઈ પણ શકે છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં ચિત્ત સ્વસ્થ બને છે અને નિરાકુળપણે મોક્ષના કારણભૂત ધર્મમાર્ગમાં આગળ વધી શકાય છે. શ્રી જૈનશાસનમાં દુઃખાદિને ટાળવા માટે તંત્ર, મંત્ર, યંત્ર અને સ્તોત્રાદિ સર્વ છે. પરંતુ તે મુક્તિના અર્થી માટે છે. કારણ કે, મુક્તિના અર્થીને જે કાંઈ કરવાનું છે, તે મુક્તિ માટે કે મુક્તિ મેળવવાની સાધનામાં આવતા અવરોધને ટાળવા માટે કરવાનું છે. જેનામાં મુક્તિની કામના-અર્થીપણું નથી, જેને ભવવૈરાગ્ય ગમતો પણ નથી, એવા મિથ્યાદૃષ્ટિને આ મંત્ર, તંત્ર કે યંત્ર આપવામાં આવે તો, અનંતલબ્લિનિધાન શ્રીગૌતમસ્વામી જેવાએ ઋષિમંડલ સ્તોત્રમાં લખ્યું છે કે, “મિથ્યાત્વવાસિને ર વાદિત્યા પ પ ' મિથ્યાત્વથી વાસિત મતિ વાળાને મંત્રાદિ આપવાથી એક એક પદ દીઠ બાળહત્યાનું પાપ લાગે છે. જિજ્ઞાસા : વીતરાગપરમાત્મા પાસે રાગવર્ધક સ્ત્રી, ધન કે નિરોગી શરીર આદિની માંગણી કરવી શું યોગ્ય છે ? તૃપ્તિ ઃ ભગવાન પાસે સાંસારિક સુખને ભોગવવા કે મજા માણવા સ્ત્રી, ધનાદિની માંગણી કરવાની નથી, પરંતુ જેમને મોક્ષની સાધના કરવી છે પણ એવું સત્ત્વ નથી કે સર્વ સંગનો ત્યાગ કરી સંયમ સ્વીકારી શકે. તેથી સંસારમાં રહેલા તેને ધનાદિની જરૂર પડે છે આ ચીજો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તેના કારણે મનની સ્વસ્થતા ટકાવી શકાય તેવી સ્થિતિ નથી, જેમનું મન સંક્લેશથી ઘેરાયેલું રહેતું હોય, આધિ-વ્યાધિ-ઉપાધિઓથી મન આર્ત
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy