________________
19
પ્રાફિકથન )
આ પુસ્તકનો પાયો છે પરમતારક પરમશ્રદ્ધેય તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા. આજથી લગભગ ત્રણેક દાયકા પહેલા મારા ધર્મપિતા તુલ્ય પૂ. આ. વિજય ગુણયશસૂરીશ્વરજી મ. સા. તથા સન્માર્ગદાયક પૂ. આ. વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાને મુંબઈ-લાલબાગ વંદનાર્થે જવાનું થયું. તે દરમ્યાન તપાગચ્છાધિરાજ પૂજ્યશ્રીનાં “લલિતવિસ્તરા' ગ્રંથ ઉપર પ્રવચનો ચાલતા હતાં. આ પ્રવચનો સાંભળ્યાં, પરંતુ ત્યારે મારી બુદ્ધિ એ વ્યાખ્યાનોને ઝીલે તેવી વિકસિત ન હતી કે સર્વેસર્વા હું સમજી શકું તો પણ આ ગ્રંથના આધારે “નમુત્યુનું' આદિ સૂત્રોના અર્થ સાંભળતા મને અત્યંત આશ્ચર્ય થતું. મને થયું, એક શબ્દના શું આટલા અને આવા અર્થ હોઈ શકે ? સુષુપ્ત મનમાં ત્યારથી તે તે સૂત્રોના અર્થ વિશેષથી જાણવાની ઈચ્છા સંગ્રહાયેલી હતી. . કાળક્રમે યોગ્ય ગુરનું સાંનિધ્ય મળ્યું. અનેક સાધકોની સહાય મળી. ગુરુકુલવાસમાં તે ગ્રંથના અધ્યયનની તક મળી, તે ગ્રંથોનો અભ્યાસ કરતાં જે કોઈ વિશેષ અર્થો જાણવા મળ્યા, તેના સ્મરણ માટે અને સમુદાયના સાધકોને ઉપયોગમાં આવે તે માટે સૂત્રોના અર્થમાં આવતી વિશેષ બાબતોની નોટ તૈયાર કરી. અભ્યાસ વર્ગને આ નોંધો ઉપકારક અને ઉપયોગી લાગતાં તેની ઘણાએ કોપી કરી અને કેટલીક
શ્રાવિકા બેનોનો આ નોંધોને પુસ્તકરૂપે આકાર આપવાનો આગ્રહ થયો. . અનેકની વિનંતી, સૂચનો આદિને લક્ષમાં લઈ મારી મતિ પ્રમાણે ચૈત્યવંદનદેવવંદનમાં આવતાં સૂત્રો લલિતવિસ્તરા આદિ ગ્રંથોના આધારે તૈયાર કરી આપવાનો મેં નિર્ણય લીધો. તૈયાર થયેલ આ નોંધો સૂત્રસંવેદના ભા. ૨ રૂપે આજે પ્રકાશિત થઈ રહેલ છે.
અનેકવિધ શાસ્ત્રોનો સહારો હોવા છતાં ગણધરરચિત આ સૂત્રોના સુયોગ્ય અર્થ કિરવાનું કાર્ય સહેલું નથી. અર્થ-નિર્ણય કરવામાં ઘણીવાર ખૂબ મનોમંથન કરવા છતાં અર્થની સ્પષ્ટતા થઈ શકી નથી. પંડિતવર્ય સુશ્રાવક શ્રી પ્રવીણભાઈ, શ્રીમયંકભાઈ આદિએ મને પોતાનો કિંમતી સમય ફાળવી મુંઝવતા પ્રશ્નોના સુંદર સમાધાનો સાથે અનેક સ્થળે તત્ત્વનો બોધ કરાવી નવી નવી દિશાઓ પણ બતાવી છે. આ સમયે હું તેમના ઉપકારને ભૂલી શકું તેમ નથી. 'લખાણ તૈયાર થયા પછી પણ તેમાં રહેલી ક્ષતિઓનું સંમાર્જન કરવું પણ અનિવાર્ય હતું. સન્માર્ગદાયક પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ તથા પરાર્થસિક પૂજ્યપાદ ગણિવર શ્રીભવ્યદર્શનવિજયજી મ. સા. એ અનેકવિધ સંઘના કાર્યો