________________
આવા સૂત્રસંવેદનાના સાત ભાગ આપવા માટે પૂ. વિદૂષી સાધવી પ્રશમિતાશ્રીજીએ લગભગ બારથી પંદર વર્ષ સુધી અવિરત શ્રેમ લીધો છે. આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે તેમણે પૂર્વાચાર્યોના ગ્રંથોનો આધાર લીધો છે. પણ જ્ઞાનાવરણીય કર્મના ઉચ્ચ પ્રકારના ક્ષયોપશમ વિના આવું ભગીરથ કાર્ય સિદ્ધ થઈ શકે નહિ. વળી તે માટે તેમને દેવકૃપા અને ગુરુભગવંતોના આશીર્વાદની પણ સહાય રહી હશે. એમ કહી શકાય. આવો અણમોલ ગ્રંથ સૌને સુલભગ કરી આપવા માટે વિદુષી લેખિકાને અભિનંદન સહિત વંદન.
આ સૂત્રસંવેદનાની શ્રેણીના નિર્માણમાં પૂ.સાધ્વીજી શ્રી જિનપ્રજ્ઞાશ્રીનું જે પ્રદાન છે તેનો પણ ઉલ્લેખ કરવો રહ્યો. તેમણે જ્ઞાન-ધ્યાનને સમર્પિત થઈને દીક્ષા જીવનને સાર્થક કરી બતાવ્યું છે. આ ઉપરાંત આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે કેટલાય જ્ઞાત-અજ્ઞાત હાથ કામે લાગ્યા હશે તે સૌના કાર્યની અનુમોદના કરું છું.
આ પુસ્તકો ડેમી કદમાં પાકા પુઠાનાં છે. કાગળો સારા અને છાપકામ સ્વચ્છ છે. એકંદરે પંદરસો પાનામાં પથરાયેલી સૂત્ર સંવેદના સાત ભાગોમાં વહેંચાયેલી છે. સૂત્રસંવેદનાનું મુખ પૃષ્ઠ સૂચક છે. તેનાં શેતરંગ વીતરાગતાનો દ્યોતક છે. મુખપૃષ્ઠ ઉપરની ઝળહળતી જ્યોતિ જ્ઞાનનું પ્રતીક છે. - કર્મના સમિધને હોમવા માટેનો જ્ઞાનયજ્ઞની જ્વાળા સમાન છે. તેની ઉંચે ઉઠતી શિખા આત્માના આરોહણની દિશા બતાવે છે. આવરણ ચિત્ર પણ વિચાર કરીને સહેતુક મૂકવામાં આવ્યું હશે એમ લાગે છે. સુહાસ' ૬૪, જૈનનગર ,
- ચંદ્રહાસ ત્રિવેદી અમદાવાદ-૩૮૦૦૦૭
તા. ૨૯-૮-૨૦૧૨ ફોન : ૨૬૬૨૦૬૧૦