________________
છઠ્ઠી આવૃત્તિના પ્રકાશન સમયે
ભાગ ૧-૭ની પ્રસ્તાવના સૂત્ર સંવેદના સાતમું આવશ્યક
જૈનધર્મનું લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ એટલે અનંત જન્મોના રઝળપાટનો અંત અને આત્માની અનંત ચતુષ્ટયામાં શાશ્વત પ્રતિષ્ઠા. આ સિદ્ધિ મેળવવા માટે જીવે સકળ કર્મોનો ક્ષય કરવો પડે. કર્મના ક્ષય માટે જૈનધર્મે જ્ઞાન અને ક્રિયા બંનેને જરૂરી ગણેલ છે. જ્ઞાન ક્રિયાપ્યાં મોસ: એકલી ક્રિયાથી મોક્ષ ન થાય, તેમ એકલા જ્ઞાનથી પણ મોક્ષ ન થાય. જ્ઞાન અને ક્રિયા એક બીજાના પૂરક છે. જ્ઞાન વિનાની ક્રિયાથી કર્મનો અલ્પ ક્ષય થાય ખરો, પણ તે મોક્ષનું કારણ ન બની શકે, ક્રિયા વગરનું જ્ઞાન વૃથા છે. જાણીએ બધુંય પણ ચાલીએ જ નહિ તો ગંતવ્ય સ્થાને પહોંચાય કેવી રીતે ? તેથી જૈનધર્મે જ્ઞાન સહિતની ક્રિયાની વાત કરી છે. ' જ્ઞાનપક્ષે જૈનધર્મે ત્રિપદી છ દ્રવ્યો અને નવ તત્ત્વોનો વિસ્તાર કરીને - જ્ઞાનમાર્ગ ચાતરી બતાવ્યો. તો ક્રિયાપક્ષે છે આવશ્યક ક્રિયાઓની પ્રતિષ્ઠા કરી
તે માટેનાં સૂત્રોની રચના કરી. આ સૂત્રો પ્રાકૃત ભાષામાં છે. પ્રાકૃત ભાષા તે સમયની લોકભાષા હતી; પણ અત્યારે તો તે આપણા માટે એટલી જ
અજાણી છે. | શ્રાવક હોય કે સાધુ હોય પણ તેમને નિરંતર જ્ઞાનનો લાભ મળતો રહે તે માટે આચાર્યોએ વિધ વિધ ગ્રંથોની રચના કરી છે, જેનું પઠન-પાઠનમનન-ચિંતન હંમેશા થતું જ રહે છે. ગુરુ ભગવંતો આગમોમાંથી વાંચના આપતા રહે છે અને શ્રાવકો માટે વ્યાખ્યાનોનું આયોજન થાય છે. તો બીજી બાજુએ ક્રિયા માર્ગને જીવંત રાખવા માટે આવશ્યક ક્રિયાઓ સાધુઓ અને સાધ્વીઓના ઉપાશ્રયોમાં હંમેશાં થતી રહે છે. ક્રિયાઓ એટલે છ આવશ્યક જે પ્રત્યેક જૈને કરવાનું વિધાન છે. આ ક્રિયાઓ માટેનાં સૂત્રો ગણધર ભગવંતોએ રચેલા છે જે આપણી પાસે પ્રાકૃત ભાષામાં સુલભ છે. આ સૂત્રોમાં અક્ષરોનું સંયોજન એવી રીતે જ્ઞાનીઓએ કરેલું છે કે દરેક સૂત્ર મંત્ર સમું બની રહ્યું છે. સૂત્રોમાં જે શક્તિ છે તે તેના ભાષાંતરમાં સંક્રાંત થતી નથી.