________________
14
છે. તીર્થંકર પરમાત્માઓએ પોતે વિકટ મોક્ષમાર્ગ ઉપર આગળ ચાલીને ચોદ ગુણસ્થાનકોનાં સીમાચિહ્નો અંકિત કર્યા હોય છે. જેથી પાછળ આવનારાઓ માટેની યાત્રા સુવિધાપૂર્ણ રહે અને તે ધ્યાનમાં રાખીને મોક્ષમાર્ગનો પ્રવાસી ક્યાંય બીજે અટવાઈ ન પડે.
અન્ય ધર્મોમાં પોતપોતાના ઈષ્ટદેવ કે પરમાત્મા પ્રતિ નમસ્કાર હોય છે, પણ તે તેમના પ્રતિની શરણાગતિની ભાવના, તેની પાછળનો મુખ્ય આશય તેમની કૃપા મેળવવાનો કે પછી તેમની પ્રાપ્તિ કરવાનો એટલે કે તેમની નિકટ વસવાનો ભાવ હોય છે. જ્યારે જેને ધર્મના ચૈત્યવંદનમાં વિશિષ્ટ ભાવ ભળેલો હોય છે અને તે પરમાત્માના ગુણો પ્રાપ્ત કરવાનો. કારણ કે ગુણપ્રાપ્તિ વિના મોક્ષમાર્ગમાં આરોહણ ન થઈ શકે. તેથી આપણા ચૈત્યવંદનમાં સૂત્રના અર્થની સાથે સાથે તીર્થંકર પરમાત્માના ગુણોનું વિશદ્ રીતે વર્ણન થયેલું હોય છે. આપણા વંદનમાં માર્ગદર્શક પ્રતીતિ કૃતજ્ઞતાની સાથે સાથે તેમના ગુણોની પ્રાપ્તિની વાત રહેલી હોય છે, તે રીતે આપણું ચૈત્યવંદન અન્ય ધર્મોના વંદન-પૂજન કરતાં વિશિષ્ટ બની જાય છે.
સારી રીતે કરેલું એક ચૈત્યવંદન આત્મા ઉપર અનંત ભવોથી લાગેલાં કર્મોની નિર્જરા કરવા સક્ષમ હોય છે. ભાવપૂર્વક ચૈત્યવંદન થવા લાગે તો સંવર તો સ્વયં સધાવા લાગે છે, તે સમયે કર્મનો જે કાંઈ આશ્રવ હોય છે, તે કેવળ શુભ કર્મનો અને તેમાંય જ્યારે આ વંદન ઉત્કૃષ્ટ અવસ્થાએ પહોંચે છે - શુદ્ધ ભાવમય બની જાય છે અને પરમાત્માના ગુણો સાથે તાદાસ્ય સાધી લે છે, ત્યારે તો તત્પરતો આત્મા સામાયિકની ઉચ્ચ અવસ્થામાં સ્થિતિ કરી લે છે. ,
ચૈત્યવંદનની એક ક્રિયા પણ જો ભાવપૂર્વક અને સંવેદન સહિત થાય તો તેનામાં આત્માને ઉગારી લેવાની અમોઘ તાકાત રહેલી હોય છે. મને શ્રદ્ધા છે કે, આવી અનર્ગળ શક્તિનો ઉદ્યોત કરવા માટે આ પુસ્તકનું વાચન, મનન અને નિદિધ્યાસન ઘણું ઉપકારક નીવડશે. આવું અણમોલ પુસ્તક તૈયાર કરી આપવા બદલ પૂ. વિદુષી સાધ્વી શ્રી પ્રશમિતાશ્રીને અભિનંદન સહિત મારા વંદન અને તેનું પરિશીલન કરવા માટે સૌ શ્રાવક-શ્રાવિકાઓને અને સાધકોને ભલામણ.
“સુહાસ', ૩૪, જેનનગર, એલિસબ્રીજ, અમદાવાદ
- ચંદ્રહાસ ત્રિવેદી તા. ૧૯-૧૦-૨૦૦૩