SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ નમોત્થ ણં સૂત્ર આત્માનો તથા આત્મિક ક્ષમાદિ ગુણોનો અને રસ એટલે લગાવ, રુચિ (interest). આમ આત્માભિમુખ બનવું કે આત્મિક ગુણોને કેળવવાનો રસ વહન કરવો તે સ્વરસવાહીતા છે. અહીં સુખને પ્રાપ્ત કરાવનારા પોતાના ક્ષમાદિ ગુણો તથા જ્ઞાનાદિ ગુણો તરફનું વલણ શરૂ થાય છે. ૯૫ અનાદિની વક્રતાના કારણે જીવનું વલણ પુદ્ગલથી પ્રાપ્ત થતાં સુખ તરફ હતું; પરંતુ માર્ગની પ્રાપ્તિ થતાં જીવનું વલણ બદલાય છે. તેને સમજાય છે કે, સુખ બહાર નહિ અંદર છે, તેથી તેનામાં આત્મિક ગુણોની પ્રાપ્તિનો રસ પેદા થાય છે. આ તેની સ્વરસવાહીતા છે અથવા મોક્ષમાર્ગની પ્રાપ્તિ છે. માર્ગની પ્રાપ્તિ થતાં સાધકને કષાયજન્ય પૌદ્ગલિક સુખ અને દુઃખ કાલ્પનિક છે તે સમજાય છે અને કષાયના ઉપશમમાં જ વાસ્તવિક સુખ છે, નિષ્કષાય અવસ્થા જ સુખનું સાધન છે, તે વાત સહજપણે સમજાય છે. આથી જ માર્ગની પ્રાપ્તિવાળા જીવને શ્રેષ્ઠ કોટિના સાંસારિક સુખમાં પણ ક્યાંય મહત્ત્વબુદ્ધિ રહેતી નથી. સુખકારી આ માર્ગના દર્શનને જ અન્ય મહાત્માઓ “સુખા” શબ્દથી સંબોધે છે. અભય અને ચક્ષુની જેમ માર્ગના દાતા પણ અરિહંતપરમાત્મા જ છે. અભય અને ચક્ષુની પ્રાપ્તિ પછી મોહનીયકર્મનો વિશેષ પ્રકારે ક્ષયોપશમ થવાથી જીવનો બોધ બળવાન બને છે, તેનામાં તત્ત્વને સાંભળવાની ઇચ્છા પ્રગટે છે અને તેને ચિત્તના અવક્રગમનરૂપ માર્ગની પ્રાપ્તિ થાય છે. આ બળવાન બોધ એટલે યોગમાર્ગની ત્રીજી બલાષ્ટિ2. આવા માર્ગની પ્રાપ્તિ પહેલાં જીવ કદાચ ક્યારેક ધર્મ તો કરતો હોય છે; પરંતુ તે ધર્મ કોઈક આશંસાથી કે વિચારશૂન્યતાથી જ કરાતો હોય છે, પરંતુ સંસારથી પર એવા મોક્ષ તત્ત્વ પ્રત્યે જ્યારે તેને રુચિ જાગે છે ત્યારપછી તેની ધર્મક્રિયા આત્મશુદ્ધિ અને ગુણવૃદ્ધિને કરાવનારી થાય છે. આ મોક્ષ તત્ત્વ પ્રત્યેની રૂચિ તે જ ચિત્તની સરળતા છે. આવી ચિત્તની સરળતા પ્રાપ્ત થયા પહેલાં ગુણવાન ગુર્વાદિનો યોગ પણ તેને સમ્યગ્દર્શનનો પરિણામ પ્રગટાવી શકતો નથી. ‘હા’ તે પહેલાં પ્રાપ્ત થયેલો ગુરુનો ઉપદેશ કે શાસ્ત્રાભ્યાસાદિ અનાદિની વાંકી ચાલનો ત્યાગ કરાવી માર્ગને પ્રાપ્ત કરાવવાનું કારણ બની શકે છે. 42. બલાદષ્ટિ : પહેલી બે દૃષ્ટિ કરતાં અહીં વિવેકની માત્રા વધુ હોય છે. માર્ગવિષયક બોધ બળવાન હોય છે. આથી તેને બલાષ્ટિ કહેવાય છે. આ ભૂમિકામાં રહેલો જીવ અનાદિ વક્રતાનો ત્યાગ કરી અવક્રપણે યોગમાર્ગમાં આગળ વધે છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy