SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૨ આ પદ બોલતાં શ્રેષ્ઠ માર્ગને પામી, મોક્ષમાં ગયેલા પરમાત્માને સ્મૃતિમાં લાવી નમસ્કાર કરતાં પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે - ૯૬ “હે નાથ ! અનાદિકાળથી માર્ગ ભૂલેલા અમોને આપ સાચો માર્ગ બતાવી તેના પર આગળ વધવાનું સામર્થ્ય આપો !” सरणदयाणं ( नमोऽत्थु णं) (મારો નમસ્કાર થાઓ.) - શરણ આપનારા પરમાત્માઓને શરણ આપવું એટલે રક્ષણ કરવું. ભયથી પીડિત આત્માની સુરક્ષા કરવી, તેને શાંતિ મળે, તે નિર્ભય બને તેમ કરવું; તે શરણ છે. આ સંસારમાં સાચા અર્થમાં શાંતિ, સુરક્ષા કે નિર્ભયતા તત્ત્વચિંતનથી જ પ્રાપ્ત થઈ શકે છે. આથી તત્ત્વચિંતન એ જ ખરેખર શરણ છે. આત્માદિ તત્ત્વના ચિંતન વિના, તેની વિશેષ પ્રકારે વિચારણા કર્યા વિના ક્યાંય શાંતિ મળી શકે તેમ નથી. ભવવૈરાગ્યથી જ્યારે ભગવાન પ્રત્યે બહુમાનનો ભાવ પ્રગટે છે, ત્યારે સાધક આત્માનું ચિત્ત સ્વસ્થ બને છે. સ્વસ્થ ચિત્તે આત્માદિ તત્ત્વની જિજ્ઞાસા થતાં તેનામાં એક શ્રદ્ધાનો પરિણામ પ્રગટ થાય છે. તત્ત્વની રુચિરૂપ આ શ્રદ્ધાથી ચિત્તની સરળતારૂપ માર્ગની પ્રાપ્તિ થાય છે. માર્ગ પ્રાપ્ત થતાં કષાયોની મુક્તિમાં વાસ્તવિક સુખ છે તેવું જણાય છે. આથી બુદ્ધિમાન આત્મા તે માર્ગવિષયક ઊંડું ચિંતન કરે છે, તત્ત્વને સવિશેષ જાણવાની ઈચ્છા રાખે છે. આ વિશેષ જાણવાની ઈચ્છાને અન્ય દર્શનકાર (ગોપેન્દ્રપરિવ્રાજક) ‘વિવિદિષા’ કહે છે. તેનાથી જ હવે તત્ત્વશ્રવણ કરવાની ઉત્કંઠા જાગે છે. સાચા અર્થમાં ધર્મશ્રવણની ભૂમિકા અહીં પ્રગટ થાય છે. તત્ત્વચિંતન કે ધર્મશ્રવણની આ ભૂમિકા તે જ સાચા અર્થમાં શરણ છે, કેમ કે, જીવને જેનાથી સુખ મળવાનું છે, જેનાથી તેના આત્મભાવની સુરક્ષા થવાની છે, તે સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ આ તત્ત્વચિંતનથી થવાની છે. આત્માદિ તત્ત્વનું ચિંતન કરવાથી તત્ત્વ સંબંધી શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા', વિજ્ઞાન, ગ્રહ, અપોહ અને તત્ત્વાભિનિવેશ સ્વરૂપ બુદ્ધિના આઠ ગુણો પ્રગટ થાય છે. આ આઠ ગુણો પ્રગટ્યા પછીની ધર્મશ્રવણની ક્રિયા, પૂર્વની 43. ૧. શુશ્રુષા : તત્ત્વ સાંભળવાની ઈચ્છા. સાચું સુખ કયું કહેવાય ? આત્માનું સુખ કઈ રીતે પ્રાપ્ત થાય ? આવી જિજ્ઞાસાથી જિનવાણીના શ્રવણની ઈચ્છા તે શુશ્રુષા છે. પરંતુ
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy