SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સૂત્રસંવેદના-૨ ગાઢ મિથ્યાત્વમોહનીયના ઉદયને કારણે અનાદિકાળથી જીવનું ચિત્ત વક્ર(વાંકુ) ચાલતું હતું. જેને કારણે દુઃખના કારણભૂત સંસાર તથા સંસારની સામગ્રી જીવને સારી લાગતી હતી અને સુખકારક આત્મા, આત્માના ગુણો અને અધ્યાત્મની સામગ્રીની જીવ ઉપેક્ષા કરતો હતો. દુઃખદાયક વસ્તુને સુખદાયક માનવી અને સુખદાયક વસ્તુની ઉપેક્ષા કરવી તે ચિત્તની વક્રતા છે. પૂર્વનાં બન્ને પદોમાં જોયું કે, ભવથી વિરક્ત થયેલો, જીવ ભગવાનની કૃપાનું પાત્ર બને છે. ભગવાનની કૃપાથી નિર્ભય બનેલા સાધકનું ચિત્ત કંઈક સ્વસ્થ બને છે. સ્વસ્થ ચિત્તે તત્ત્વની (સાચા સુખ અને તેનાં કારણોની) વિચારણા કરતાં પ્રાપ્ત થયેલા કર્મના ક્ષયોપશમથી તત્ત્વની શ્રદ્ધા પ્રગટે છે અને શ્રદ્ધાને માર્ગે આગળ જતાં સાચા સુખનો માર્ગ મળે છે. સાચા સુખનો = હેતુ-સ્વરૂપફળથી શુદ્ધ એવા સુખનો આ માર્ગ એ જ ચિત્તનું “અવક્રગમન.” સાપ જેમ પોતાના દરમાં શરીર છોલાઈ જવાના ભયથી વાંકી ચાલનો ત્યાગ કરી સીધો ચાલે છે, તેમ ચિત્તની સરળતારૂપ માર્ગ મળી જતાં સાધક પણ મિથ્યાત્વજન્ય કદાગ્રહનો, કુટિલતાઓનો અને કુમાન્યતાઓનો ત્યાગ કરી જ્યાં સાચું સુખ છે, તેવા માર્ગે ચાલવાનું શરૂ કરે છે. આ માર્ગે ચાલતાં તેને સાનુબંધન મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે. આ ક્ષયોપશમના કારણે આગળ વધતાં જીવને સમ્યગ્દર્શનગુણની પ્રાપ્તિ થાય છે, આથી જ માર્ગ પ્રાપ્તિના આત્મિક પરિણામને વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર ક્ષયોપશમ કહ્યો છે. વળી, પ્રાપ્ત થયેલો આ માર્ગ સ્વરસવાણી હોય છે. સ્વરસવાહી એટલે સ્વેચ્છાથી જ મોક્ષમાર્ગમાં ગમન કરાવે તેવો ક્ષયોપશમ અથવા સ્વ એટલે 40. ચિત્તનું વક્રગમન ક્લિષ્ટ મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી થાય છે. ક્લિષ્ટ મિથ્યાત્વમોહનીય એટલે અનુબંધવાળું મિથ્યાત્વમોહનીય કર્મ અર્થાત્ જેની પરંપરા સતત ચાલે એવું મિથ્યાત્વ મોહનીયકર્મ. આ કર્મનો ઉદય થતાં જીવની બુદ્ધિ ભ્રમિત થાય છે, ઊંધી માન્યતા થાય છે, તેથી દુઃખકારક વિષયોની પાછળ જીવ દોડે છે. તેનાથી પુનઃ તેવા કર્મો બાંધે છે. આમ, કર્મબંધની સાંકળ ચાલ્યા જ કરે તેને સાનુબંધકર્મ કહેવાય છે. 41. જે કર્મનો ક્ષયોપશમ નવા કર્મના ક્ષયોપશમને કરાવે તે સાનુબંધ કર્મનો ક્ષયોપશમ છે. ચિત્તનું સરળ ગમન સાનુબંધ મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમથી થાય છે. આ કર્મનો ક્ષયોપશમ બુદ્ધિને નિર્મળ કરે છે. તેને કારણે માન્યતા બદલાય છે, વિષયો દુઃખકારક લાગે છે, સંસાર અસાર લાગે છે અને તેને કારણે હવે થતી પરિણતિ-ચિંતન નવાં નવાં કર્મનો ક્ષયોપશમ ઉત્પન્ન કરાવી ગુણની દિશામાં આગળ વધારે છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy