________________
તમોત્થ સૂત્ર
અભયની જેમ તત્ત્વના બોધમાં કારણભૂત એવી આ શ્રદ્ધારૂપી ચક્ષુ પણ પરમાત્મા દ્વારા જ પ્રાપ્ત થાય છે કેમ કે, ભગવાન સર્વજ્ઞ વીતરાગ છે અને કેવળજ્ઞાનરૂપ વિશિષ્ટ ચક્ષુથી તેઓ સર્વ પદાર્થોને જુએ છે. આવાં વિશિષ્ટ ચક્ષને ધારણ કરનારા હોવાથી જ પરમાત્મા તત્ત્વદર્શનના કારણભૂત ચક્ષુનું પ્રદાન કરી શકે છે. જેની પાસે આવાં ચક્ષુ નથી, તેઓ બીજાને આવાં ચક્ષુ આપી પણ શકતા નથી.
જો કે, ધર્મરુચિરૂપ આ ચક્ષુ કાળ, સ્વભાવ, ભવિતવ્યતા આદિની અપેક્ષા ચોક્કસ રાખે છે. તોપણ ભગવાનની કૃપા વિના તે પ્રાપ્ત થતાં નથી. આ જગતમાં તત્ત્વમાર્ગનો પ્રકાશ પાથરવાનું કામ માત્ર પરમાત્માએ જ કર્યું છે અને તેમની કૃપાનું પાત્ર બનેલા જીવો જ આ પ્રકારે સંસારને જોઈ શકે છે, બીજા નહિ. આથી જે પ. પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. સા. એ પોતાના સ્તવનમાં કહ્યું છે :
કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, તે સઘળા તુજ દાસો રે,
મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજ સબળ વિશ્વાસ રે...... શ્રદ્ધારૂપ ચક્ષુ વિનાના આંધળા અનંતકાળથી સંસારમાં રખડે છે. જ્યારે તેઓ પરમાત્માની કૃપાનું પાત્ર બને છે, ત્યારે જ તેને આવાં વિશેષ ચક્ષુની પ્રાપ્તિ થાય છે. પછી તેને સંસારમાં વધુ ભટકવું પડતું નથી. આ પદ બોલતાં કેવલ્યચક્ષુને પામેલા પરમાત્માને નજર સમક્ષ લાવી સાધક વિચારે કે –
શ્રદ્ધારૂપ નેત્ર વિનાનો હું અનંતકાળથી આમથી તેમ . ભટકતો દુ:ખનું ભાજન ન્યો છું. સુદાતા હે વિભુ ? આપજે કરાતો આ નમસ્કાર અને શ્રદ્ધા?ય જશુના
પ્રદાનમાં સહાયક બનો !” માદિયા (મોડધુ ) - માર્ગને આપનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
અરિહંત પરમાત્મા માર્ગ દાતા છે. આ માર્ગ બીજો કોઈ નહિ; પરંતુ મોક્ષનગર સુધી પહોંચાડે તેવી ચિત્તની સરળ પરિણતિ છે એટલે કે તત્ત્વઅતત્ત્વના વિભાગને અનુકૂળ ચિત્તના અવક્રગમન સ્વરૂપ છે.
39. इह मार्गः चेतसोऽवक्रगमनं, भुजङ्गमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः
स्वरसवाही क्षयोपशमविशेषः । हेतु-स्वरूप-फल शुद्धा सुख