SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૨ પ્રતીતિ આ ભૂમિકામાં થાય છે. આના કારણે સુંદર ધર્મ કરનાર આત્માને જોઈ આનંદ આવે છે, તેની પ્રશંસા કરવાનું મન થાય છે. આ શ્રદ્ધાનો પરિણામ હજુ તેવો તીવ્ર નથી કે, જે તત્ત્વદર્શન કરાવે, તોપણ તત્ત્વદર્શનનું કારણ બને તેવો તો છે જ. શત્રુંજયનો ડુંગર ચઢતાં જેમ આદીશ્વર દાદાનાં દર્શન થઈ જતાં નથી, તોપણ સહેલાઈથી ડુંગર ચઢવાની શરૂઆત કરનાર યાત્રિકને શ્રદ્ધા તો હોય જ છે કે, હવે ટૂંક સમયમાં દાદાનાં દર્શન થશે; તેમ ચક્ષુસ્વરૂપ ક્ષયોપશમને પામી જીવે હજુ કાંઈ ઉપશમ સુખની અનુભૂતિ કરી નથી, તોપણ ‘હું નક્કી સુખી થઈશ' તેવું તેને લાગવા માંડે છે, કેમ કે, અહીં તેને ઉપશમભાવ સ્વરૂપ મોક્ષનો માર્ગ દેખાય છે. ૯૨ શ્રદ્ધારૂપ આ પરિણામ પ્રાપ્ત થતાં આ આત્મા તત્ત્વજ્ઞો પાસે જાય છે, તત્ત્વવિષયક અનેક પ્રશ્નો પૂછે છે, તત્ત્વપ્રાપ્તિનાં ઉપાયો જાણે છે, આત્માની શુદ્ધિરૂપ તત્ત્વને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ સાધકોની ઔચિત્યપૂર્ણ પ્રશંસા કરે છે અને પોતે પણ અનેક શુભ અનુષ્ઠાનો કરે છે. આ ભૂમિકામાં તત્ત્વને જાણવાને અભિમુખ = તત્ત્વને જાણવા તરફ લઈ જતી જિજ્ઞાસા પ્રગટે છે. આ તાત્ત્વિક જિજ્ઞાસા તત્ત્વ પ્રાપ્તિનું પ્રબળ કારણ છે. અહીં અભયની ભૂમિકા કરતાં કાંઈક વિશેષ બોધ હોય છે. આ બોધ યોગની બીજી દષ્ટિ - તારાદૃષ્ટિમાં38 થયેલા બોધ જેવો કહેવાય છે. = પૂર્વે દૃષ્ટાંતમાં બતાવેલ ખાડામાં પડેલ વ્યક્તિને જ્યારે ખાડામાંથી બહાર કાઢવામાં આવે છે અને તેની આંખ પરના પાટા ખોલવામાં આવે છે, ત્યારે તેને પોતાના ગામ જવાનો માર્ગ સ્પષ્ટ દેખાય છે. કેમકે, તેની ચક્ષુ આંખ ખૂલી ગઈ હોય છે. તેમ જ્યારે યોગમાર્ગને જોવાને અનુકૂળ તત્ત્વની જિજ્ઞાસારૂપ અંત:ચક્ષુ ખૂલે છે ત્યારે જ સાધક ક્રમે કરીને યોગમાર્ગને સ્પષ્ટ જોઈ શકે છે - જાણી શકે છે. આ ભૂમિકા પ્રાપ્ત થયા પૂર્વે પણ જીવ ધર્મક્રિયા તો કરતો હતો; પરંતુ તે કષાયોના ઉપશમથી થયેલા આત્મિક સુખને પામવા નહિ. ચક્ષુની પ્રાપ્તિ પછી થતો ધર્મ પહેલાં કરતાં જુદો જ હોય છે. 38. તારાદષ્ટિ : મિત્રાદ્રષ્ટિ કરતાં બોધની માત્રા અહીં થોડી અધિક હોય છે. આથી જ અહીં તત્ત્વવિષયક વિશેષ જિજ્ઞાસા થાય છે. આ તત્ત્વમાર્ગ જ માહ્ય માટે હિતકારક છે - તેવી શ્રદ્ધારૂપી ચક્ષુની પ્રાપ્તિ જીવને અહીં થાય છે. ભવવૈરાગ્યની માત્રા વધે છે. આથી સુખકારક સંસાર પણ દુઃખકારક લાગે છે; ઔચિત્યાદિ ગુણોનો વિકાસ થાય છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy