________________
તમોત્હ ણં સૂત્ર
કે, ગુર્વાદ પણ જે અભય પ્રાપ્તિનો માર્ગ બતાવે છે, તે સ્વયં નથી બતાવતા. તે ભગવાનના વચનથી જ બતાવી શકે છે. તેથી અરિહંત જ અભયદાતા છે. અભયદાતા પરમાત્માને નમસ્કાર કરતાં પ્રભુ પાસે પ્રાર્થના કરવાની છે કે,
“સર્વ જીવોને અભય અર્પનારા હે પ્રભુ ! સતત ભયોથી ઘેરાયેલા મને પણ આપ ભયથી મુક્ત કરી સર્વ પ્રકારે નિર્ભય બનાવો ”
चक्खुदयाणं ( नमोऽत्थु णं) પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
૯૧
-
દિવ્યદૃષ્ટિરૂપ ચક્ષુને આપનારા
ચક્ષુ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની છે. તોપણ અહીં ભગવાનને આ બંને ચક્ષુથી જુદા જ એક વિશિષ્ટ ચક્ષુના દાતા કહ્યા છે. આ ચક્ષુ એટલે તત્ત્વનો બોધ કરાવવામાં કારણભૂત બને તેવો, તત્ત્વની શ્રદ્ધારૂપ આત્માનો પરિણામ. જે મિથ્યાત્વ મોહનીય આદિ કર્મોના ક્ષયોપશમથી થનારો ભાવ છે. આ શ્રદ્ધા પ્રગટતાં તત્ત્વની રુચિ” ઉત્પન્ન થાય છે એટલે કે આત્મહિતકર ધર્મ કરવાનો અભિલાષ જાગૃત થાય છે.
અભય પ્રાપ્ત થવાથી સાધકનું ચિત્ત સ્વસ્થ થાય છે અને તેને કારણે તે કદર્શનાભર્યા સંસારને કાંઈક જાણી શકે છે. આ સંસારથી અલગ કોઈક સુખનો માર્ગ પણ છે, તેને જાણવાની સાધકને ઈચ્છા થાય છે. વારંવાર વિચારતાં તેને લાગે છે કે, કષાયથી યુક્ત મારા પરિણામથી જ હું દુઃખી છું અને કષાયરહિત શુદ્ધ પરિણામ જ મારા સુખનું કારણ છે, તોપણ આ ભૂમિકામાં હજુ એટલો સૂક્ષ્મ બોધ નથી, સુખનો રસ્તો હજુ સ્પષ્ટ દેખાતો નથી, આમ છતાં ભગવાનની કૃપાનું પાત્ર બની સાધક આ વિષયમાં જેમ જેમ વધુ વિચારે છે, તેમ તેમ મોહનીયકર્મના પડલો ભેદાય છે, તેને કારણે તત્ત્વમાર્ગનો વિશેષ બોધ થાય છે. સુખ આ માર્ગે વાથી જ મળશે, તેવી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ શ્રદ્ધાનો પરિણામ તે જ ‘ચક્ષુ' છે.
તત્ત્વની શ્રદ્ધાનો આ પરિણામ તે ધર્મ પ્રત્યેની રુચિનો પરિણામ છે. ‘એક માત્ર ધર્મ જ એવો છે કે, મારા કષાયો દૂર કરી મને સુખ આપશે.' તેવી કંઈક
37.
रुचिः-करणाभिलाषः । अत्र चक्षुः विशिष्टमेवात्मधर्म्मरूपं तत्त्वावबोधनिबन्धन श्रद्धास्वभावं
ગૃહ્યતે;
- લલિતવિસ્તરા