________________
વૈશેષિકન
૬૫
વૈશેષિક જણાવે છે કે પ્રત્યક્ષજ્ઞાન અતીત અને અનામતને પણ જાણી શકે છે. તેમ છતાં દલીલ ખાતર તે માની લે છે કે તે અતીત અને અનાગતને નથી ગ્રહણ કરતું. આમ માનતાં એ પ્રશ્ન ઊઠશે કે જ્યારે વ્યક્તિ આંખનું મટકુ માર્યા વિના નિરંતર એક વિષયને જ જોતા હાય ત્યારે તેની ખાખતમાં વત માન કાળના વિસ્તાર કેટલા માનવા ? જ્યારે નિમેષકૃત દર્શીનવિચ્છેદ ન હેાય ત્યારે જેટલા વખત સુધી દન તૂટે નહિ તેટલા વખત વમાનકાળ માનવા પડે અને પરિણામે એવા વતમાનકાળના ગ્રહણ સાથે તે કાળવિશિષ્ટ વસ્તુની સ્થિરતા પણ ગૃહીત થશે. આ દાખલામાં તે પ્રત્યક્ષ વસ્તુની સ્થિરતાને ગ્રહણ કરે છે એ સ્પષ્ટ છે.૧૨૦
ક્ષણભંગવાદી વૈશેષિકને કહે છે કે તમે જ્ઞાનને સ્થિર માનતા નથી, તમારે મતે જ્ઞાન ક્ષણિક છે. જો પરિસ્થિતિ આવી છે તેા અમે પૂછીએ છીએ કે બીજી ક્ષણે જ્યારે પ્રત્યક્ષજ્ઞાન નાશ પામે છે ત્યારે તે વિષયને કાણુ ગ્રહણ કરે છે ? ખીજું જ્ઞાન તેને ગ્રહણ કરે છે એમ ઉત્તર દેશે તે અમે પૂછીશું કે તેને વિષય જે પ્રથમ જ્ઞાનનેા હતેા તે જ છે એમ તમે કઈ રીતે કહી શકશેા : ૧૨૧
ઉપરના પ્રશ્નોના જવાબ આપતાં જયંત ભટ્ટ જણાવે છે કે અનિમેષદષ્ટિવાળાનું પ્રત્યક્ષ જ્ઞાન ક્ષણિક નથી એવા પણ કેટલાકના મત છે. પરંતુ ન્યાયવૈશેષિકના મેઢામાં આ વાત શાભે નહિ. એટલે જયંત બીજી રીતે જવાબ આપે છે. તે કહે છેઃ નાન ક્ષણિક છે કે સ્થાયી એ પ્રશ્ન ચર્ચવા નિરક છે. ન્યાયવૈશેષિકાએ અનેક વાર જણાવ્યું છે કે વિષયને ગ્રહણ કરતી વખતે જ્ઞાન પાતે પેાતાને ગ્રહણ કરતું નથી અને તેથી જ્ઞાનનેા સ્વભાવ શેા છે તે આપણે જાણી શકીએ નહિ. પરંતુ અવિચ્છિન્નસત્તાક અને આપણે જાણીએ છીએ જ એ નિશ્ચિત વાત છે.૧૨૨ વળી, ત્રીજી રીતે પણ જયંત જવાબ આપે છે અને આ જવાબ જ ક્ષણભંગવાદીએ જણાવેલી આપત્તિમાંથી ઉગરવાને ખરા ઉપાય છે. તે નીચે પ્રમાણે કહે છે જ્યારે વ્યક્તિ અનિમેષ નયને વિષયને નિહાળે છે ત્યારે ઇન્દ્રિયના વ્યાપારમાં કાઈ વિચ્છેદ જણાતા નથી. તે વખતે ઇન્દ્રિયને વ્યાપાર અત્રુટિત હોય છે. આ હકીકત છે. તેને સ્વીકાર ન કરવા તે આડાઈ છે. ઇન્દ્રિયને વ્યાપાર એ બીજું કંઈ નહિ પણ ઇન્દ્રિયને પેાતાના વિષય સાથે સન્નિષ છે. આમ અનિમેષ નયને વિષયને નિહાળતી વેળાએ ઇન્દ્રિયના વિષય સાથે વિચ્છેદરહિત સન્નિષ હોય છે. આવા સમ્નિકક્ષ` ઉપરથી એ પુરવાર થાય
૧. ૫