SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પદન તેમ છતાં તે બંને સાથે મળીને તેને ઉત્પન્ન કરી શકે છે. પ્રત્યભિજ્ઞા એ બે કારણોને બળે ભૂત અને વર્તમાન બંનેને જાણે છે. પ્રત્યભિજ્ઞા ઇન્દ્રિયજન્ય હોવાથી તેને પ્રત્યક્ષ પણ ગણવામાં આવે છે. પૂર્વાવસ્થા ઇન્દ્રિયસકૃિષ્ટ ન હોવા છતાં પ્રત્યભિજ્ઞાને પ્રત્યક્ષ ગણવામાં આવે છે કારણ કે તે ઇન્દ્રિયજન્ય છે અને જ્ઞાનના પ્રત્યક્ષ હોવા માટે એ જ એક નિર્ણાયક લક્ષણ છે. વળી, એ તે સૌ સ્વીકારે છે કે કારણસામગ્રીની વિલક્ષણતા કાર્યમાં પણ વિલક્ષણતા લાવે છે. પ્રત્યભિજ્ઞાની કારણસામગ્રીમાં ઇન્દ્રિય અને સંસ્કાર બંને હોવાથી પ્રત્યભિજ્ઞામાં પ્રત્યક્ષત્વ અને પરોક્ષ બંને આવી શકે છે, એમાં અમને વૈશેષિકેને કેઈ વિરોધ લાગતો નથી. આમ પ્રત્યભિજ્ઞારૂપ એક જ્ઞાન વસ્તુની ભૂતકાલીન અને વર્તમાનકાલીન અવસ્થાઓને ગ્રહણ કરતું હોવાથી વિષયની સ્થાયિતા પુરવાર થાય છે. ૧૬ (૫) ક્ષણભંગવાદી અનુસાર પ્રત્યક્ષ ક્ષણિક હેઈ તે ક્ષણિક વસ્તુને ગ્રહણ કરે છે. આનો વિરોધ કરતાં વૈશેષિકે કહે છે કે અનિમેષ દષ્ટિવાળી વ્યક્તિ અત્રુટિત સત્તાવાળા (અર્થાત્ સ્થાયી) વિષયને ગ્રહણ કરે છે.૧૧૭ ક્ષણભંગવાદી જણાવે છે કે ન્યાયશેષિકને મતે પણ જ્ઞાન ક્ષણિક છે. એટલે પ્રત્યક્ષજ્ઞાન પણ ક્ષણિક જ છે. પરિણામે પ્રત્યક્ષ પિતાના સમકાલીન વિષયને જ ગ્રહણ કરે છે. આમ વિષય પણ ક્ષણિક જ પુરવાર થાય છે. આ વાતને વિરોધ કરતાં વૈશેષિક કહે છે કે પ્રત્યક્ષ જ્ઞાન પોતે જ પોતાને જાણતું નથી તે એ કેવી રીતે એ જાણી શકે કે તેને વિધ્ય સ્વસમકાલ છે. અથવા દલીલ ખાતર માની લે કે તે એ જાણે છે તેમ છતાં પ્રત્યક્ષજ્ઞાન એ કેવી રીતે જાણી શકે કે તેના વિષયનું અસ્તિત્વ પૂર્વ ક્ષણે ન હતું અને ઉત્તર ક્ષણે નહિ હોય.૧૧૮ ક્ષણભંગવાદી એવો મત ધરાવે છે કે પ્રત્યક્ષ વર્તમાનક્ષણવર્તી વિષયને જ્યારે ગ્રહણ કરે છે ત્યારે તે તેના અતીત અને અનાગત ક્ષણ સાથેના સંબંધને વ્યાવૃત્ત કરે છે. વૈશેષિક આ મતનું ખંડન નીચે પ્રમાણે કરે છે. વર્તમાનને ગ્રહણ કરનાર જ્ઞાન વર્તમાનેતર કાળને વ્યાવૃત્ત કરે છે, કારણ કે વર્તમાન અને વર્તમાનેતર પરસ્પર વિરોધી છે. તેમ છતાં તે વર્તમાનગ્રાહી જ્ઞાન પોતાના વિષયના વર્તમાનેતર કાળ સાથેના સંબંધને વ્યાવૃત્ત ન કરી શકે. જેમ એક સૂત્રને અનેક મણકા સાથે સંબંધ હેવામાં કઈ વિરોધ નથી તેમ એક વિષયનો અતીત, વર્તમાન અને અનાગત ક્ષણ સાથે સંબંધ હેવામાં કઈ વિરોધ નથી. ૧૯
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy