________________
વૈશેષિકદર્શન છે તેમ જ અનિયતકાલીન છે. તેથી વિનાશનાં બધાં કારણોનો બધે વખતે પ્રતિબંધ અશક્ય છે. એમાંનું કેઈ એક કારણ તો આવી પડવાનું જ.૧૪
લાકડીના પ્રહારનું કામ ઘટને વિનાશ કરવાનું નથી પણ ઘટસંતતિની જગ્યાએ તેનાથી વિસદશ કપાલસંતતિ પેદા કરવાનું છે એવા ક્ષણભંગવાદીના મતનો પ્રતિવાદ કરતાં વૈશેષિક નીચે પ્રમાણે કહે છે. જ્યાં સુધી ઘટસંતાનની સદશને ઉત્પન્ન કરવાની શક્તિનો વિનાશ ન થાય ત્યાં સુધી ઘટસંતાનથી વિસદશ કપાલસંતતિનો ઉતપાદ શક્ય નથી. જે તે શક્તિનો નાશ લાકડીના પ્રહારથી થાય છે એવું ક્ષણભંગવાદી સ્વીકારે તો ઘટવસ્તુના નાશના હેતુ તરીકે લાકડીના પ્રહારને સ્વીકારવામાં તેણે આનાકાની ન કરવી જોઈએ. આ જ પ્રશ્ન પરત્વે વૈશેષિક ક્ષણભંગવાદીના મતનું બીજી રીતે ખંડન કરે છે. તે પ્રશ્ન ઊઠાવે છે કે ઘટસંતતિની જગ્યાએ વિસદશ કપાલસંતતિની ઉત્પત્તિ ધ્રુવભાવી છે કે નહિ ? જે તે ધ્રુવ ભાવી ન હોય તો ઘટને વિનાશ પણ ધ્રુવભાવી નહિ ઘટે કારણ કે ચર્મચક્ષુ ધરાવતા સામાન્ય જનો વિસદર્શ કપાલસંતતિના ઉત્પાદ સિવાય ઘટને નાશ દેખતા નથી. આમ ઘટવિનાશ ધ્રુવભાવી છે એ સિદ્ધ થતું નથી. બીજી બાજુ, જે ઘટસંતતિની જગ્યાએ વિસદશ કપાલસંતતિની ઉત્પત્તિ ધ્રુવભાવી હોય તો એનો અર્થ એ થાય કે ધ્રુવભાવીને પણ પોતાનાં કારણેની અપેક્ષા છે. જે પાલસંતતિની ઉત્પત્તિ ધ્રુવભાવી છે તેને માટે જે લાકડીના પ્રહાર જેવા કારણની જરૂર પડતી હોય તે ધ્રુવભાવી ઘટવિનાશ માટે તેવા કારણની જરૂર નથી એમ કહેવું યોગ્ય નથી. ૧૧૫
(૪) પ્રત્યભિજ્ઞા પોતે એક જ્ઞાન નથી એવા ક્ષણભંગવાદીના મતનું ખંડન કરતાં વૈશેષિક નીચે પ્રમાણે કહે છે. પ્રત્યભિજ્ઞા નામનું જ્ઞાન ભૂત અને વર્તમાન કાળવિશિષ્ટ એક જ વસ્તુનું ગ્રહણ કરે છે. પ્રત્યભિજ્ઞાન વિષય એક નથી એમ કહેવું અનુભવવિદ્ધ છે. પ્રત્યક્ષ અને સ્મૃતિ બંને એક જ વિષયનું ગ્રહણ કરી શક્તા ન હોવાથી (અર્થાત્ પ્રત્યક્ષ કેવળ વર્તમાનવિષયગ્રાહી અને સ્મૃતિ કેવળ અતીતવિષયગ્રાહી હોવાથી) વિષયની ભૂતકાલીન અને વર્તમાનકાલીન બંને અવસ્થાઓને ગ્રહણ કરનાર પ્રત્યભિજ્ઞાને અનુભવના બળે માનવી જોઈએ. ડાહ્યા માણસો દષ્ટ કાર્ય ઉપરથી અદષ્ટ કારણની કલ્પના કરે છે; પરંતુ એથી ઊલટું, કારણ દેખાતું નથી માટે અનુભૂત કાર્યનું અસ્તિત્વ નથી એમ તેઓ કહેતા નથી. પ્રત્યભિજ્ઞારૂપ એક જ્ઞાનનો સૌને અનુભવ છે. ડાહ્યા માણસનું કામ પ્રત્યભિજ્ઞારૂપ એક જ્ઞાનને સ્વીકારી તેનાં કારણો વિશે વિચારવાનું છે. જો કે સંસ્કાર અને ઈન્દ્રિય બંને સ્વતંત્ર રીતે પ્રત્યભિજ્ઞારૂપ એક કાર્ય ઉત્પન્ન કરવા અસમર્થ છે .