________________
પદર્શન
પૂર્વ ક્ષણે અને ઉત્તર ક્ષણે ઘટદ્રવ્ય તો એક જ છે. જેમ એક વસ્તુ એક દેશ ઉપરથી બીજા દેશ ઉપર જતાં સ્વરૂપથી બીજી થઈ જતી નથી તેમ એક વસ્તુ એક ક્ષણથી બીજી ક્ષણે આવતાં સ્વરૂપથી બદલાઈ જતી નથી. અવસ્થાઓ બદલાવા છતાં દ્રવ્ય બદલાતું નથી. વળી, દ્વિતીય ક્ષણવતી વસ્તુને ગ્રહણ કરનાર પ્રમાણ તેના ભાવને ગ્રહણ કરવામાં જ ચરિતાર્થ છે, તે પૂર્વેક્ષણવતી વસ્તુના અભાવને ગ્રહણ કરતું નથી. અર્થાત, દ્વિતીય ક્ષણની વસ્તુના ભાવને ગ્રહણ કરનાર પ્રમાણ પ્રથમક્ષણની વસ્તુના અભાવને ગ્રહણ કરતું નથી. આથી દ્વિતીયક્ષણની વસ્તુને ભાવ પૂર્વેક્ષણની વસ્તુના અભાવરૂપ જ છે એમ પુરવાર થતું નથી. ૧૦૮
જે આપત્તિ ક્ષણભંગવાદીને આવે છે તે વૈશેષિકને આવતી નથી કારણ કે તેને મતે વસ્તુનો વિનાશ (અભાવ) એ તેના સ્વરૂપનો વિનાશ છે. એટલે આપણને ઘટનો વિનાશ થતાં “ધટ નથી એવી પ્રતીતિ થાય છે. વિનાશની ઉત્પત્તિ એ વસ્તુની નિવૃત્તિ છે, વિનાશનું હોવું એ વસ્તુનું નવું છે, વિનાશની ઉપલબ્ધિ એ વસ્તુની અનુપલબ્ધિ છે કારણ કે ભાવ અને અભાવ બંને પરસ્પર વિરોધી છે. તેથી વસ્તુ તેના નાશ પછી ટકતી નથી, અસ્તિત્વ ધરાવતી નથી.૧૧૦ એક વસ્તુની ઉત્પત્તિથી બીજી વસ્તુના સ્વરૂપની શ્રુતિ કેવી રીતે થઈ શકે એવી શંકા વ્યાજબી નથી કારણ કે વસ્તુઓને સ્વભાવ જ એવો છે. ૧૧૧ વસ્તુ ક્ષણિક છે જ નહિ. ઉત્પત્તિ પછી તરત જ તેનો નાશ થતું નથી. વળી, વસ્તુના વિનાશને કારણેની અપેક્ષા છે. આપણે અનુભવીએ છીએ કે ઘટ ઉત્પન્ન થયા પછી લાંબા કાળ સુધી ટકે છે અને જ્યારે તે સખત વસ્તુ સાથે અથડાય છે ત્યારે જ નાશ પામે છે.૧૧૨
વસ્તુની ઉત્પત્તિનાં જે કારણે છે તેમનાથી જુદાં તે વસ્તુના વિનાશનાં કારણે હતાં નથી એવી ક્ષણભંગવાદીની વાત બરાબર નથી. મનુષ્યના જન્મનાં જે કારણે છે તે જ કારણે તેના મૃત્યુનાં નથી. વળી, જે ધ્રુવભાવી હોય તેને કારણની અપેક્ષા નથી એમ માનવું પણ બરાબર નથી. નાચ હિ ધ્રુવં મૃત્યુઃ | જન્મેલાને મરવાનું અવશ્ય છે. પરંતુ મૃત્યુને તેનાં પિતાનાં કારણો હોય છે. મૃત્યુ કારણની અપેક્ષા રાખે જ છે. ૧૧૩
ક્ષણભંગવાદી કહે છે કે જે વિનાશ વસ્તુનાં ઉત્પાદક કારણોથી, ભિન્ન કારણોની અપેક્ષા રાખે છે એવું માનીએ તે તે ધ્રુવભાવી ન રહે કારણ કે તેનાં કારણોનો પ્રતિબંધ થતાં વિનાશ થાય જ નહિ. આના જવાબમાં વૈશેષિક જણાવે છે કે વસ્તુની ઉત્પત્તિનાં કારણે નિયત છે પરંતુ તેના વિનાશનાં કારણો અનંત