SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદન ૬૧ ઉત્પન્ન કરતા નથી, સહકારિકારણેા માત્ર સહકારી જ છે. જો મુખ્ય કારણમાં કઈ અતિશય માનવા જ હોય તે તે વૈશેષિકાને મતે કેવળ સહકારિસાહિત્યરૂપ જ છે.૧૦૬ આમ મુખ્ય કારણના સ્વરૂપમાં અતિશયની ઉત્પત્તિને પ્રશ્ન જ ઊડતા નથી અને પરિણામે ક્ષણુભગવાદીઓએ સ્થાયી વસ્તુ માનનાર વૈશેષિકે સામે આપત્તિઓને જે ડુંગર ખડા કરી દીધા હતા તે કેવળ કાલ્પનિક જ હતા. (૩) ક્ષણભંગવાદી કહે છે કે સત્ વસ્તુઓ સ્વભાવથી જ વિનાશી છે, અટલે તેઓ નારાક કારણાની અપેક્ષા રાખ્યા વિના જ વિનાશ પામે છે. તેએ સ્વભાવથી વિનશ્વર ન હોય તે તેમના નારા કોઈ કદીય કરી શકે નહિ. વૈશેષિક ક્ષણભંગવાદીને વ્યંગમાં કહે છે વિનાશની જેમ ઉત્પત્તિની બાબતમાં પણ ક્ષણભગવાદીએ આમ જ માનવું જોઈ એ. જો ઘટ સ્વભાવથી જ ઉત્પત્તિશીલ હોય તે તેને ઉત્પન્ન થવા માટે કોઈ કારણની અપેક્ષા ન હોવી જોઇએ, અને પરિણામે દંડ, ચક્ર વગેરે કારણેા વિના ઘટે ઉત્પન્ન થવું જોઇએ. બીજી બાજુ, ઉત્પન્ન થવુ તે જો એને સ્વભાવ ન હોય તે તેને કોઈ કયારેય ઉત્પન્ન ન કરી શકે, જેમકે શશશ’ગ. જો કહેવામાં આવે કે ઉત્પત્તિમાં તે કારણેાના વ્યાપાર દેખાય છે એટલે ઉત્પત્તિનાં કારણેા માનવાં જોઇએ તેા વિનાશની બાબતમાં પણ એમ કહેવુ જોઇએ. ૧૦૭ e વિનાશ અને સત્ત્વ એક જ છે એવી ક્ષણભગવાદીની માન્યતાના વિરોધ કરતાં વૈરોષિક નીચે પ્રમાણે જણાવે છે: ઉત્પન્ન વસ્તુ એક ક્ષણ જ ટકે છે કે બીજી ક્ષણે પણ ટકે છે ? જો તે એક ક્ષણ જ અસ્તિત્વ ધરાવતી હોય તે બીજી ક્ષણે તે નહિ હોવાની. આને અથ એ કે તેનું અસ્તિત્વ પ્રથમ ક્ષણે છે અને તેને નાશ બીજી ક્ષણે છે. ક્ષણભાંગવાદીને મતે ભિન્નક્ષણવતી વસ્તુએ ભિન્ન જ ગણાય છે. એટલે સત્ત્વ અને વિનાશ અને ભિન્નક્ષણવતી હોવાથી ભિન્ન જ મનાવા જોઇએ. જે બીજી ક્ષણે પણ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે એમ ક્ષણભંગવાદી કહે તો તેા વસ્તુની ક્ષણિકતા જ ન રહે,૧૦૮ જો ક્ષણભંગવાદી કહે કે એક જ વસ્તુની સત્તા અને વિનાશ અભિન્ન છે એવી અમારી માન્યતા નથી પરંતુ અમારે મતે તે બીજી ક્ષણે રહેલી વસ્તુનુ અસ્તિત્વ એ પ્રથમ ક્ષણવતી વસ્તુને વિનાશ છે, તે આમ માનવું પણ યોગ્ય નથી. શ્રીધર જણાવે છે કે પ્રથમ ક્ષણવી વસ્તુ અને દ્વિતીય ક્ષણવતી વસ્તુ વચ્ચે વ્યક્તિ તરીકે ભેદ છે પરંતુ તેમની વચ્ચે સ્વરૂપની દષ્ટિએ કેાઈ ભેદ નથી. પૂર્વ ક્ષણવી ઘટ અને ઉત્તરક્ષણી ઘટ એ એક ઘટદ્રવ્યની બે અવસ્થાએ છે..
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy