SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ o પદર્શન અબાધિત વિષય છે તે સત છે. ૧૦૩ કારણતા જ સ્વરૂપ સત્તા નથી પરંતુ સ્વરૂપસત્તા એ તો ઘટ વગેરે વસ્તુઓનું અનુભવ અને અધ્યવસાયથી ગૃહીત થતું સ્વરૂપ છે. જનતા યા કારણતા વસ્તુનો સ્વભાવ નથી પણ ધર્મ છે, અને ધર્મ તો ધમથી ખરેખર ભિન્ન છે. એટલે ધર્મ બદલાતાં વસ્તુ (ધમી) બદલાઈ જય છે એમ ન મનાય. ૧૦૪ બીજરૂપ ધમમાં અંકુરને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય (અર્થ ક્રિયા સામર્થ, કારણતા) ઉદ્દભવતાં તે બીજ આગલી ક્ષણના બીજથી ભિન્ન બની જતું નથી. અહીં વૈશેષિક પૌતાના મૌલિક ધર્મધમીભેદના સિદ્ધાંતને આશરો લે છે. આમ ક્ષણભંગવાદીને મતે અર્થ ક્રિયાકારિતા વસ્તુનો સ્વભાવ છે જ્યારે વૈશેષિકને મતે તે વસ્તુનો આગંતુક ધર્મ છે. વૈશેષિક અનુસાર વસ્તુને સ્વભાવે સ્વરૂપસત્તા છે અને આ સ્વરૂપ સત્તા “આ છે “આ છે એવી સત-બુદ્ધિનો વિષય છે. પ્રસ્તુત સંદર્ભમાં વૈશેષિકે સતનું લક્ષણ ‘સત્તા જાતિયુક્ત હોય તે સત’ એવું નથી આપતા પરંતુ સ્વરૂપ સત્તાને જ સત નું લક્ષણ ગણે છે. સત્તા જાતિયુક્ત હોય તે સત’ એવું સત નું લક્ષણ કેટલાક વૈશેષિકેને બરાબર લાગતું નથી કારણ કે સત્તાજાતિ સત્ વસ્તુથી ભિન્ન છે અને તેથી તેને સત વસ્તુને સ્વભાવ ગણી શકાય નહિ. એટલે જ શ્રીધર, વાચસ્પતિ જેવા ન્યાયવૈશેષિકે સ્વરૂપ સત્તાને જ વસ્તુને સ્વભાવ ગણે છે. તે આ ક્ષણભંગવાદમાં કારણભાવ જ ઘટતું નથી. કાર્યોત્પત્તિમાં વ્યાપાર કર્યા વિના જ કાર્યનું કારણ બની શકાતું હોય તો તે કાર્યના કારણ હોવાને દાવો સઘળી વસ્તુઓ કરી શકે. એટલે કારણને વ્યાપાર કાર્યોત્પત્તિમાં માનવો જ જોઈએ. પરંતુ ક્ષણભંગવાદમાં કારણવ્યાપાર શક્ય જ નથી, કારણ કે કારણ પોતે ઉત્પન્ન થયા વિના બીજાની ઉત્પત્તિમાં વ્યાપાર કરી શકે નહિ; અને જે તે પોતાની ‘ઉત્પત્તિ પછી કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર કરે છે એમ માનવામાં આવે તે કારણનું બીજી ક્ષણે (અર્થાત ઉત્પત્તિ પછીની ક્ષણ) અસ્તિત્વ સ્વીકારવું પડે. પરિણામે વસ્તુ અક્ષણિક સિદ્ધ થાય.૦૫ સ્થાયી વસ્તુ કેમ કે અક્રમથી કાર્યોને ઉત્પન્ન ન કરી શકે એમ માનનાર ક્ષણભંગવાદીને વૈશેષિકે જણાવે છે કે સ્થાયી વસ્તુ ક્રમથી પોતાનાં કાર્યોને ઉત્પન્ન કરે છે. જે ક્ષણે બધાં સહકારિકાણો તેની સાથે થાય છે (તેની નજીક આવે છે) ત્યારે તે પોતાના કાર્યને ઉત્પન્ન કરે છે, એકલી તે પોતાના કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ નથી. આ સહકારિકાર વતુમાં (અર્થાત મુખ્ય કારણમાં કંઈ અતિશય ઉપન્ન કરે છે કે નહિ એવા ક્ષણભંગવાદીઓના પ્રશ્નના જવાબમાં વૈશેષિક જણાવે છે કે સહકારિકારણે મુખ્ય કારણના સ્વભાવમાં કંઈ અતિશય
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy