________________
વૈશેષિક દર્શન
૫૭
તેનાથી જુદી જાતની કપાલ નામની સંતતિ શરૂ થાય ત્યારે તે કપાલસંતતિને ઘટસંતતિથી વિસદશ હોવાથી વિસભાગ, વિજાતીય કે વિસદશ સંતતિ કહેવામાં આવે છે. લાકડીના પ્રહારને લીધે ઘટસંતતિની જગ્યાએ પાલસંતતિ શરૂ થાય છે. આમ લાકડીના પ્રહારનું કાર્ય ઘટનો વિનાશ કરવાનું નથી પરંતુ વિસદશ પાલસંતતિ ઉત્પન્ન કરવાનું છે.
(૪) વસ્તુની સ્થાયિતામાં માનનાર પ્રત્યભિજ્ઞાને વસ્તુની સ્થાયિતા સિદ્ધ કરનાર પ્રમાણ તરીકે જણાવે છે. પ્રત્યભિજ્ઞાન આકાર “તે આ છે એવો હોય છે. આમ પ્રત્યભિજ્ઞા પૂર્વાનુભૂત વસ્તુ અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુ બંનેની એક્તાને ગ્રહણ કરે છે અને પરિણામે તે વસ્તુની સ્થાયિતા સિદ્ધ કરે છે.
ક્ષણભંગવાદી જણાવે છે કે તે જ આ છે એવા આકારનું જ્ઞાન એક નથી પણ પ્રત્યક્ષ અને સ્મરણ બે. અંશનું બનેલું છે. તેનો એક અંશ “આ” ઇન્દ્રિયસન્નિહિત વર્તમાન વિષયનું ગ્રહણ કરે છે, જ્યારે તેનો બીજો અંશ “તે” મૃત્યુપસ્થિત પૂર્વાનુભૂત વિષયનું ગ્રહણ કરે છે. પ્રત્યભિજ્ઞાના આ બંને અંશને પિતપોતાનાં આગવાં ઉત્પાદક કારણો છે. સન્નિહિત વર્તમાન વિષયને જ ઈન્દ્રો ગ્રહણ કરે છે; તેથી નિર્દિષ્ટ અતીત વિષયને ગ્રહણ કરવાની તેમનામાં શક્તિ નથી. સંસ્કાર પૂર્વાનુભવજનિત હોવાથી તેથી નિર્દિષ્ટ પૂર્વાનુભૂત વિષય પૂરતો તેને વ્યાપાર મર્યાદિત છે; તે “આથી નિર્દિષ્ટ વર્તમાન વિષયને સ્પર્શત નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષનું કારણ છે જ્યારે પૂર્વાનુભવૈજન્ય સંસ્કાર સ્મૃતિનું કારણ છે. પ્રત્યક્ષ અને સ્મૃતિથી ભિન્ન પૂર્વાનુભૂત વિષય અને વર્તમાન વિષય બંનેને ગ્રહણ કરનારું કોઈ એક જ્ઞાન જ નથી. પ્રત્યભિજ્ઞા એક જ્ઞાન નથી કારણ કે તેમાં પરસ્પરવિરોધી બે સ્વભાવો–પ્રત્યક્ષતા અને પરોક્ષતા–છે. બે વિરોધી સ્વભાવો એકમાં ન સંભવે. આમ પ્રત્યભિજ્ઞા એક (unitary) જ્ઞાન નથી પણ પ્રત્યક્ષ અને સ્મૃતિ એવાં ભિન્ન વિષયગ્રાહી બે જ્ઞાન છે.૪
દલીલ ખાતર માની લે કે પ્રત્યભિના એક જ્ઞાન છે. હવે પ્રશ્ન એ ઊભો થશે કે તે કઈ જાતના વિષયને ગ્રહણ કરે છે ? શું તે અતીત વિષયને ગ્રહણ કરે છે ? કે વર્તમાન વિષયને ગ્રહણ કરે છે ? કે પછી અનાગત વિષયને ગ્રહણ કરે છે ? જે સ્વીકારવામાં આવે કે તે અતીત (ભૂત) વિષયને ગ્રહણ કરે છે તો તે સ્મૃતિથી ભિન્ન નથી એવું સાબિત થશે. જે સ્વીકારવામાં આવે કે તે વર્તમાન વિષયને જ ગ્રહણ કરે છે તો તે સ્થાયિત્વ સિદ્ધ ન કરી શકે. અતીત, વર્તમાન અને અનાગત પરસ્પર વિરોધી સ્વભાવ છે. તેથી એક સાથે એક વિષયમાં .