SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પદન બની જાય. એટલે આપણે સ્વીકાર્યા વિના છૂટકે નથી કે વસ્તુ જન્મે છે ત્યારે વિનશ્વર જ જન્મે છે. આમ વસ્તુ પિતાનાં ઉત્પાદક કારણોથી જ વિનશ્વરસ્વભાવ જન્મે છે એટલે તે ઉત્પન્ન થતાં જ વિનાશ પામે છે. ૮૯ વસ્તુની ઉત્પત્તિનાં જે કારણો છે તે જ વસ્તુના વિનાશનાં કારણે છે. આમ વસ્તુની સત્તા અને વિનાશિતા એક છે, તેમની વચ્ચે ભેદ નથી. ભેદનો હેતુ કારણભેદ છે. હવે જે વસ્તુના વિનાશનાં કારણે તે વસ્તુની ઉત્પત્તિનાં કારણોથી ભિન્ન છે એવું સ્વીકારવામાં આવે તે વિનાશિતા અને સત્તાને અભેદ નહિ બને અર્થાત વિનાશને સત વસ્તુથી ભેદ માનવો પડે. વિનાશને સત વસ્તુથી ભિન્ન માનતાં વિનાશ પછી પણ વસ્તુનું અસ્તિત્વ રહે છે એવો સ્વીકાર કરવો પડે, કારણકે વસ્તુથી ભિન્ન કેઈકની ઉત્પત્તિથી વસ્તુના સ્વભાવને કંઈ અસર ન થાય.૯૦ જે કાર્ય તેની ઉત્પત્તિની પ્રથમ ક્ષણે જ નાશ ન પામે તો એને અર્થ એ થાય કે તે મૃત્યુને (વિનાશને) પાર કરી ગયું છે. જેણે વિનાશને પાર કર્યો હોય તે તે અવિનાશીસ્વભાવ બની જાય અને પરિણામે અનંત યુગો છે. જે કહેવામાં આવે કે વસ્તુનો સ્વભાવ કેટલીક ક્ષણ પછી નાશ પામવાને છે અર્થાત અમુક ક્ષણો ટકવાનો છે તે એવી વસ્તુ કદી નાશ પામશે નહિ એ સમજી લેવું જોઈએ કારણ કે તેનો “અમુક ક્ષણ ટકવાનો સ્વભાવ તે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી.....ક્ષણે પણ રહેવાનો જ. એટલે, આપણે સ્વીકારવું જોઈએ કે વસ્તુ તેની ઉત્પત્તિની ક્ષણે જ નાશ પામે છે, અન્યથા, તે કદી નાશ નહિ પામે. ક્ષણભંગવાદીને મતે વિનાશનો અર્થ છે પ્રત્યેક ક્ષણે તે વસ્તુનો નાશ. આ વિનાશ સૂક્ષ્મ છે. તે દેખાતું નથી. પરંતુ જે વિનાશને આપણે જોઈ શકીએ છીએ એનું શું ? લાકડીના પ્રહારથી ઘડાનો નાશ થતો આપણે દેખીએ છીએ. જે વિનાશને પિતાનાં કારણે હોય જ નહિ તો અહીં લાકડી વગેરે નાશક માધ્યમનું કાર્ય શું છે ? ક્ષણભંગવાદી કહે છે કે લાકડીનું કાર્ય ઘટને વિનાશ કરવાનું નથી પરંતુ ઘટસંતતિથી વિસદશ (વિજાતીય) કપાલસંતતિ ઉત્પન્ન કરવાનું છે. પ્રત્યેક ક્ષણે નવી નવી ઉત્પન્ન થતી વસ્તુઓની એક નિરંતર શ્રેણીને (સંતતિ-Continuumને) આપણે એક નામ (કહે “ઘટ) આપીએ છીએ. જ્યારે સંતતિના ઘટકે સમાન હોય છે ત્યારે તેને સભાગ, સદશ યા સજાતીય કહેવામાં આવે છે. પરંતુ જ્યારે ઘટ નામની સંતતિની જગ્યાએ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy