________________
૧૫
વૈશેષિકદર્શન જ નથી; તે સહકારિકારો સાથે ઉત્પન્ન થાય છે અને બીજી જ ક્ષણે તે સહકારિકાર સાથે નાશ પામે છે.
સ્થાયી વસ્તુ ક્રમથી કે અક્રમથી અર્થ ક્રિયા કરી શકતી નથી. ક્ષણિક વસ્તુ કમથી અર્થ યિા કરી શકે જ નહિ. તે ક્ષણિક હેઈ એક ક્ષણ જ અસ્તિત્વ ધરાવે છે અને તેના અસ્તિત્વની ક્ષણે જ તે અર્થ ક્રિયા કરે છે. આમ ક્ષણિક વસ્તુ અક્રમથી જ પોતાનાં કાર્યો કરે છે. બીજી ક્ષણે તેનું અસ્તિત્વ જ ન હોવાથી બીજી ક્ષણે તે શું કરશે તે પ્રશ્ન ક્ષણભંગવાદમાં ઊઠતો નથી. આમ સ્થાયી વસ્તુ અર્થ ક્રિયાકારી નથી જ્યારે ક્ષણિક વસ્તુ અર્થ ક્રિયાકારી છે. એટલે સ્થાયી વસ્તુ સત નથી પણ ક્ષણિક વસ્તુ જ સત્ છે એ પુરવાર થાય છે. ૮૭
(૩) વસ્તુની ક્ષણિક્તા તેની વિનશ્વરતા ઉપરથી પુરવાર થાય છે. બધા ભૌતિક પદાર્થો કાર્યક્રવ્યો છે. તેમની ઉત્પત્તિ તેમનાં કારણોમાંથી થાય છે. તેથી તે બધા વિનાશી છે. હવે પ્રશ્ન ઊઠે છે કે તેઓ જન્મથી જ વિનશ્વરસ્વભાવ છે કે અવિનશ્વરસ્વભાવ ? ત્રીજો વિકલ્પ સંભવતો નથી. જે તેઓ જન્મથી અવિનશ્વરસ્વભાવ હોય તો તેમનો વિનાશ કેઈ કદી કરી શકે નહિ, કારણ કે નાશ ન પામવું એ તેમનો સ્વભાવ છે. આમ તેઓ નિત્ય બની જાય. પરંતુ પરિસ્થિતિ આવી નથી અર્થાત હકીકતમાં તેઓ નિત્ય નથી. એટલે તેઓ વિનશ્વરસ્વભાવવાળા જ જન્મ્યાં છે એ વિકલ્પ સ્વીકારવો જોઈએ. તેથી સત્તા એ જેમ તેમનો સ્વભાવ છે તેમ વિનશ્વરતા. પણ તેમનો સ્વભાવ છે એમ માનવું જોઈએ. વિનધરતા તેમનો સ્વભાવ હોવાથી જન્મતાંની સાથે જ તેઓ વિનશ્વરતાથી ઘેરાઈ જાય છે. વિનશ્વરતા તેમનો સ્વભાવ હોવાથી તેમના વિનાશ માટે કેઈ કારણોની જરૂર નથી. ૮૮
વિનાશ એ ઉત્પન્ન વસ્તુઓનો ધ્રુવભાવી ધર્મ છે, સ્વભાવભૂત ધર્મ છે. જે જેને સ્વભાવભૂત યા પ્રભાવી ધર્મ હોય તે પોતાની ઉત્પત્તિ માટે તે ધમીરૂ૫ વસ્તુનાં ઉત્પાદક કારણોથી ભિન્ન બીજા કારણોની અપેક્ષા રાખતો નથી, જેમ કે તલવારનું લેહમયd. એથી ઊલટું, જે ધર્મ ધમીરૂપ વસ્તુનાં ઉત્પાદક કારણોથી ભિન્ન બીજા કારણોની અપેક્ષા રાખે છે તે તે વસ્તુનો ધ્રુવભાવી યા સ્વભાવભૂત ધર્મ ગણાતો નથી, જેમ કે કાપડ ઉપર ચઢાવેલે રંગ. જે વસ્તુ પિતાના વિનાશ માટે પોતાનાં ઉત્પાદક કારણોથી ભિન્ન બીજાં કારણોની અપેક્ષા રાખે છે એમ માનવામાં આવે તો તે બીજા કારણોમાં રુકાવટ આવવાથી (પ્રતિબંધ) કે વિકલતા ઊભી થવાથી તે વસ્તુને વિનાશ થાય નહિ અને વસ્તુ નિત્ય