SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. પદર્શન કારણથી ભિન્ન એવા અતિશયને કાર્યનું ખરું કારણ ગણવું જોઈએ. પરંતુ આ તો ઈષ્ટ નથી. એટલે આ આપત્તિમાંથી ઉગરવા જે એમ કહેવામાં આવે કે સહકારિકારણોએ ઉત્પન્ન કરેલા અને પિતાથી ભિન્ન એવા અતિશયથી ઉપકૃત થયેલું મુખ્ય કારણ (બીજ) જ કાર્યનું (અંકુરનું) ખરું કારણ છે તે તે પણ યોગ્ય નથી. અતિશય મુખ્ય કારણનો ઉપકાર તેનામાં અતિશય જન્માવ્યા વિના ન કરી શકે કારણ કે તે સિવાય તે મુખ્ય કારણ પહેલાં હતું તેવું જ ચાલુ રહે. મુખ્ય કારણથી ભિન્ન પ્રથમ અતિશય મુખ્ય કારણમાં અતિશય જન્માવે છે એમ માનતાં જૂનો પ્રશ્ન વળી પાછો ખડો થાય કે આ બીજે અતિશય મુખ્ય કારણથી ભિન્ન છે કે અભિન્ન ? – અને આમ અનવસ્થાદોષ (infinite regress) આવે. હવે જે બીજો વિકલ્પ સ્વીકારીએ અર્થાત અતિશયને મુખ્ય કારણથી અભિન્ન સ્વીકારીએ તો મુખ્ય કારણ પ્રથમ ક્ષણે જેવું હતું તેવું પછીની ક્ષણોએ રહે છે અને તેમાં કંઈ ફેર પડતો નથી એમ માનવું પડે; તેથી તેણે પિતાનાં બધાં કાર્યો પ્રથમ ક્ષણે જ કરી નાખવાં જોઈએ. જે કહેવામાં આવે કે અતિશયરહિત કારણ નાશ પામે છે અને તેના સ્થાને અતિશયયુક્ત કારણ ઉત્પન્ન થાય છે તે એમ કહેવાનો અર્થ તો એ થાય કે પહેલી ક્ષણની વસ્તુ નાશ પામે છે અને બીજી ક્ષણે નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે, આમ ક્ષણિકવાદ આવીને ઊભો રહે છે. તે ક્ષણભંગવાદ સામે પ્રશ્ન ઊઠાવવામાં આવે છે કે ક્ષણિક મુખ્ય કારણને સહકારિકરણો કેવી રીતે ઉપકાર કરી શકે ? જે સ્થાયી મુખ્ય કારણની બાબતમાં સહકારિકારણો નિરર્થક છે તો ક્ષણિક મુખ્ય કારણની બાબતમાં પણ તે નિરર્થક જ છે. મુખ્ય કારણ અને સહકારિકારણો એક સાથે એક જ ક્ષણે અસ્તિત્વમાં આવે છે અને બીજી ક્ષણે તો તેમનું અસ્તિત્વ હોતું નથી. એટલે સહકારિત કારણોને મુખ્ય કારણને ઉપકાર કરવાને સમય જ મળતું નથી. આમ ક્ષણભંગવાદમાં સહકારિકારણો નિરર્થક ઠરે છે. - ક્ષણભંગવાદી ઉપર ઊઠાવેલા પ્રશ્નનો નીચે પ્રમાણે ઉત્તર આપે છે : સહકારિકારણો નિરર્થક નથી. ક્ષણભંગવાદમાં સહકારિતાને અર્થ “એકબીજાને ઉપકાર કરવો” એવો થતો નથી પણ “સાથે કાર્ય કરવું એવો થાય છે. આમ પરસ્પર સાપેક્ષતા એ સહકારિતા નથી પરંતુ એક કાર્યકારિતા એ સહકારિતા છે. બી, માટી, પાણી, તાપ, વગેરે સાથે એક કાર્ય કરે છે પરંતુ તેમાંનું કઈ બીજાને ઉપકાર કરતું નથી. મુખ્ય કારણ ક્ષણિક હાઈ સહકારિતારણોથી રહિત તે હોતું
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy