________________
પદર્શન
જ પડી જાય. વૈશેષિકને મતે ચલનથી જન્મતા વિભાગ બે પ્રકારનો છે-એક પ્રકારનો વિભાગ દ્રવ્યારંભક (દ્રવ્યોત્પાદક) સંગનો નાશક હોય છે : જ્યારે બીજા પ્રકારનો વિભાગ દેશ સાથેના સંગનો નાશક હોય છે. આ બે વિભાગે પરસ્પર વિરોધી છે. તેથી એક જ ક્રિયાથી તે બંને એક સાથે પેદા થઈ શકતા નથી. આમ જ્યારે હાથ હાલે છે ત્યારે તેનું સ્થાનાંતર થાય છે–તેને એક દેશ સાથે સંગ તૂટે છે અને બીજા દેશ સાથે સંયોગ થાય છે પણ શરીરથી કે બીજા અવયવોથી તે વિખૂટો પડી જતો નથી. આ બધાંના અનુભવેની વાત છે. એટલે હાથ હાલવા છતાં શરીર સ્થિર રહે એમાં કંઈ અજુગતું નથી.
ઉપરની સમગ્ર ચર્ચા દર્શાવે છે કે ન્યાય-વૈશેષિકે કાર્યદ્રવ્ય યા અવયવીની સ્થાપના માટે મરણિયા પ્રયત્નો કર્યા છે તેમ જ વિરોધીની દલીલોને તેડવા શક્ય તેટલી બધી જ સબળ તાર્કિક શક્તિ વાપરી છે.
(૪) દ્રવ્યનું સ્થાયિત્વ - જે વસ્તુની કાલવ્યાપ્તિને (નિત્યતા યા કિયત્કાલસ્થાયિતાન) તદ્દન નિષેધ કરી તેને ક્ષણિક જ માનવામાં આવે તે દ્રવ્ય જેવા કઈ પદાર્થનું અસ્તિત્વ જ નથી એવું ફલિત થાય. આ કારણે વૈશેષિકે એ ક્ષણભંગવાદને જોરદાર પ્રતિકાર કર્યો છે અને વસ્તુની કાલવ્યાપ્તિની સ્થાપના કરી છે. અહીં દ્રવ્ય ન માનનાર દાર્શનિકે વસ્તુ ક્ષણિક છે એ પુરવાર કરવા જે દલીલ કરી છે તેમને પ્રથમ વિચારીશું અને ત્યાર પછી વૈશેષિકે તે દલીલનું ખંડન કરી કેવી રીતે વસ્તુની કાલવ્યાપ્તિ પુરવાર કરે છે તે દર્શાવીશું. :
દ્રવ્યથી દાર્શનિક નીચે પ્રમાણે વસ્તુની ક્ષણિકતા પુરવાર કરે છે?
(૧) કઈ વસ્તુ સ્થાયી નથી. જેમ એક વસ્તુનું એક કાળે બે સ્થાને અસ્તિત્વ અશક્ય છે તેમ એક વસ્તુનું બે ક્ષણોએ અસ્તિત્વ અશક્ય છે. જે એક વસ્તુ જ ક્ષણે અસ્તિત્વ ધરાવતી હોય તો તેનું જ ક્ષણે અસ્તિત્વ હેઈ જ ન શકે, કારણ કે ક્ષણે વસ્તુના અસ્તિત્વને અર્થ રહે ક્ષણે અથવા અન્ય કોઈ પણ ક્ષણે તેના અસ્તિત્વનું ન હોવું તે છે. જો આપણે સ્વીકારીએ કે એ જ વસ્તુનું રહ ક્ષણે પણ અસ્તિત્વ ચાલુ રહે છે તો એનો અર્થ એ જ થાય કે તેનું અસ્તિત્વ અને અસ્તિત્વ બંને ક્ષણે છે. આમ વસ્તુને સ્થાયી માનતાં એક વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મો માનવાની આપત્તિ આવે. ૮ ,