________________
વૈશેષિકદન
પર
પરિમાણનું ગ્રહણ નર્થી થતું કારણકે તેના પરિમાણના ગ્રહણ માટેની શરત તે વખતે પૂરી થતી નથી.૮૧ અહીં કાઇ પ્રશ્ન કરે કે પેાતાના પરિમાણના ગ્રહણ વિના અવયવીનું ગ્રહણ કેવી રીતે સંભવે અર્થાત્ પરિમાણુરહિત અવયવી કેવી રીતે ગૃહીત થઈ શકે ? વાચસ્પતિ આના ઉત્તરમાં જણાવે છે કે પરિમાણુ તે અવયવીના અનેક ધર્મમાંના કેવળ એક ધ છે; વળી, અવયવી પેાતાના ધર્માથી ભિન્ન છે; ધમ-ધમી ભેદ એ તે વૈશેષિક સિદ્ધાંત છે; તેથી અવયવીના ચોક્કસ પરિમાણુનુ અગ્રહણ અવયવીના ગ્રહણમાં બાધક બનતું નથી.૮૨
(૧૪) વિરાધી વૈશેષિકને કહે છે કે જો હાથ, વગેરે અવયવેાથી ભિન્ન શરીરરૂપ અવયવી માનીએ તે એક અવયવીમાં ચલન–અચલન એ પરસ્પર વિરેાધી ધર્માંની આપત્તિ આવે; જ્યારે હાથ હાલે ત્યારે શરીરને તેના તે ભાગની અપેક્ષાએ હાલતું અને અન્ય ભાગેાની અપેક્ષાએ અચલ કહેવુ પડે. આમ એક અવયવીરૂપ શરીરમાં એ પરસ્પર વિરાધી ધર્માંની આપત્તિ આવે.
વિરાધીને ઉત્તર આપતાં વૈશેષિક કહે છે કે અહીં હાથ હાલવા છતાં શરીર હાલતું નથી. ચલનધ` હાથમાં છે અને અચલનધમ શરીરમાં છે એટલે પરસ્પર વિરાધી ધર્માં એકમાં નથી. વૈશેષિક એ વાતને સ્વીકાર નથી કરતા કે અવયવનું ચલન અનિવાય` રીતે અવયવીમાં પણ ચલન આણે છે. એનું કારણુ એ છે કે એને મતે અવયવ અને અવયવી એ ભિન્ન દ્રવ્યેા છે ૩ તેમ જ તેમનાં ચલનની કારણુસામગ્રી પણ ભિન્ન છે; ઉપરાંત, આ કારણુ-સામગ્રી હ ંમેશ સમકાલ હેતી નથી; દાખલા તરીકે હાથનું ચલન અમુક પ્રકારની ઈચ્છાને કારણે છે, જ્યારે શરીરનું ચલન બીજા પ્રકારની ઈચ્છાને કારણે છે. તેથી આપણે શરીરને સ્થિર રાખી હાથને લંબાવવા કે હલાવવા ઈચ્છી શકીએ છીએ એટલું જ નહિ પણ તેમ કરી પણ શકીએ છીએ.
કેાઇ અહીં નીચે પ્રમાણે શંકા કરે છે. અવયવના હાલવા છતાં અવયવી ન હાલે તે એને અથ એ થાય કે અવયવી એ અવયવાન બનેલા છે જેમાંતે એક ચલનયુક્ત છે અને બીજો ચલનરહિત છે. પરંતુ આવા અવયવી અસ્તિત્વ ધરાવી ન શકે, કારણ કે ચલનયુકત અવયવ ચલનરહિત અવયવથી છૂટો જ પડી જાય અર્થાત્ એ અવયવા વચ્ચેના સંચાગ તૂટે (વિભાગ થાય) અને તેને ર્િણામે અવયવી દ્રવ્યને નાશ થાય.૮૪
આ શંકાનું સમાધાન વૈશેષિક નીચે પ્રમાણે કરે છે. વૈશેષિકને એવેા સિદ્ધાંત નથી કે ચલનયુકન અવયવ ચલનરહિત અવયવથી અવશ્ય છૂટો