________________
વદર્શન
રૂપ ન ગણી શકાય કારણ કે ચિત્રરૂપ તો અસમવાય કારણોનાં અર્થાત તંતુઓનાં વિવિધ રૂપ જ ઉત્પન્ન કરી શકે. પ્રસ્તુત પટનો એક ભાગ લાલ હેવાથી પેટને લાલ મા જોઈએ પરંતુ તેનો બાકીનો ભાગ લાલ ન હોવાથી તેને લાલરંગ રહિત પણ ગણવો જોઈએ. આમ એક જ વસ્તુ પટમાં પરસ્પર વિરોધી ધર્મો માનવા પડે. પરંતુ પરસ્પર વિરોધી ધર્મો એકમાં હોઈ શકે જ નહિ, એટલે ખરેખર જેને એક માનવામાં આવે છે તે એક છે જ નહિ પણ બે ભાગોને સમાહાર છે.
વિરોધીને વૈશેષિકને ઉત્તર નીચે પ્રમાણે છે: લાલ રંગ પટને નથી પરંતુ લાલ દ્રવ્ય(dyestuff )ને છે. પટે આ લાલ દ્રવ્ય સાથે સંયુકત છે. પટને એક ભાગ લાલ ન હોવા છતાં લાલ જણાય છે કારણ કે તેની તેટલા ભાગની સપાટી લાલ દ્રવ્યથી ઢંકાયેલી છે. વૈશેષિક સિદ્ધાંત પ્રમાણે અવયવીને નાશ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તેનો રંગ બદલાતો નથી. તેથી જે જે અવયવીને રંગીન દ્રવ્યથી રંગવામાં આવે છે તે તે અવયવીનો તે રંગીન દ્રવ્ય સાથે માત્ર સંગ જ હોય છે એવી વૈશેષિક માન્યતા છે.૭૮
(૧૩) વિરોધી વૈશેષિકને કહે છે કે જે અવયવી એક છે એમ માનીએ તે તેનું એક જ વખતે ઢંકાયેલા હોવું તેમ જ ન ઢંકાયેલા હોવું કેટલીક વાર બને અને પરિણામે એકમાં પરસ્પર વિરોધી ધર્મો હેવાને દેષ આવે.
વિરોધીએ દર્શાવેલી સમસ્યાનો ખુલાસો કરતાં વૈશેષિક જણાવે છે કે પ્રસ્તુત વિરોધી ધર્મે બે જુદા જુદા ભાગોના છે અને અવયવી તે એ બે ભાગેથી ભિન્ન એક દ્રવ્ય છે. તે વિરોધી ધ અવયવીને નથી. આને કારણે જ અમુક ભાગ ઢંકાયેલ હોવા છતાં બાકીનો ભાગ ઢંકાયેલો ન હોવાથી અવયવી ગૃહીત થાય છે. અહીં કોઈ પ્રશ્ન ઊઠાવે છે કે જ્યારે અમુક ભાગ ઢંકાયેલું હોય ત્યારે અવયવી તેટલે જ ધૂળ કેમ નથી દેખાતો એટલે તે જ્યારે તેને કઈ પણ ભાગ ઢંકાયેલે નથી હોતા ત્યારે દેખાય છે? આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે જ્યારે અવયવીનું ગ્રહણ થાય છે ત્યારે તેના પરિમાણના ગ્રહણનો આધાર તે તેના પ્રસ્તા પરિમાણવાળા ભાગના ગ્રહણ ઉપર છે. પરંતુ એ ચોક્કસ ન કહી શકાય કે અવયવીના પરિમાણના ગ્રહણ માટે તેનો કેટલા પરિમાણવાળો ભાગ ગૃહીત થવો જોઈએ. અલબત્ત, આપણે એટલું જ કહી શૈકીએ કે તે અવયવીના પરિમાણને ગ્રહણ કરાવે એવા પ્રતા પરિમાણવાળા જોઈએ. તેથી અવયવીને મોટો ભાગ ઢંકાયેલું હોય ત્યારે અવયવીનું ગ્રહણ થવા છતાં તેના