________________
વૈશેષિકદાન
૪૯
બીજો વિકલ્પ સ્વીકારતાં અવયવીને અવયવેામાં રહેવા બીજા અવયવેાની જરૂર પડશે અને આ બીજા અવયવેામાં રહેવા ત્રીજા અવયવેાની જરૂર પડશે અને આમ અનવસ્થાદોષ આવશે.૭૪ આમ આ એ વિકામાંથી એક્ય વિકલ્પ વૈશેષિક સ્વીકારી શકે તેમ નથી અને ત્રીજો વિકલ્પ તેા સંભવતા નથી. તેથી એ પુરવાર થાય છે કે અનેક અવયવેામાં અવયવી નામનુ એક દ્રવ્ય રહેતું નથી અર્થાત્ અવયવેાથી ભિન્ન અવયવી નામનું દ્રવ્ય જ નથી.
આના ઉત્તર તૈયાયિક તેમ જ વૈશેષિક નીચે પ્રમાણે આપે છે. અવયવી પેાતાના પ્રત્યેક અવયવમાં પૂરેપૂરા રહે છે કે થાડા થાડા રહે આવેા પ્રશ્ન જ ખાટા છે, કારણ કે આ એ વિકલ્પે તે જે સ્વયં એક ન હોય પણ અનેક અવયવેારૂપ હોય તેની છાબતમાં સંભવે.પ‘કૃત્સ્ન’” (પૂરેપૂરી) અને ‘એકદેશ’ (ઘેાડી) શબ્દોના પ્રયાગે. જે વસ્તુ અવયવેરૂપ હેાય તેને અનુલક્ષીને જ થાય છે. જ્યારે અનેક અવયવેારૂપ વસ્તુ એકમાં સમાઈ જાય ત્યારે તે વસ્તુ પૂરેપૂરી એકમાં સમાઈ ગઈ એમ આપણે કહીએ છીએ. જ્યારે અનેક અવયવરૂપ વસ્તુ એકમાં ન સમાવાથી ઘેાડીક માં, થેાડીક વમાં અને થાડી માં એમ અનેકમાં ટુકડે ટુકડે વહેંચાઈને રહે ત્યારે તે વસ્તુ થોડી ઘેાડી અનેકમાં રહે છે એમ આપણે કહીએ છીએ.૭૬ આમ કૃત્સ્નવિકલ્પ અનેક એકમાં રહે છે એવા મતને અનુલક્ષીને છે જ્યારે એકદેશવિકલ્પ અનેક અનેકમાં રહે છે એવા મતને અનુલક્ષીને છે. પરંતુ અવયવીની બાબતમાં તે વૈશેષિક મત એક અનેકમાં રહે છે
એવા છે.
વિરાધીને યત જણાવે છે કે એક અવયવી તેના અવયવમાં વ્યાસજય અર્થાત્ પ્રત્યેકમાં જુદો જુદો રહે છે; તે તેના એક અવયવમાં સમાપ્ત થઈ જતા નથી. જેમ એક સામાન્ય અનેક વ્યક્તિઓમાં રહે છે . તેમ જ એક અવયવી અનેક અવયવામાં રહે છે. એક અવયવીને અનેક અવયવેામાં રહેવા ખીજા અવયવાની જરૂર પડતી નથી કારણ કે તેના તે બીજા અવયવાને આપણે કદી જોયા જ નથી. એક અવયવી અનેક અવયવેામાં રહે છે એ હકીકત છે.૭૭ એક અનેકમાં રહેતું હોય એવુ કાઇ દષ્ટાંત છે કે નહિ એવા પ્રશ્નના જવાબમાં જ્યંત જણાવે છે કે જે વસ્તુ પ્રત્યક્ષ દેખાતી હાય તેને પુરવાર કરવા દૃષ્ટાંતની કોઇ જરૂર નથી.૭૮
(૧૨) વિધી વૈશેષિકને પૂછે છે કે જો પટના અમુક ભાગને લાલ રંગે રંગવામાં આવે તે પટ અવયવીને રંગ કયેા કહેવાય ? આ પટના રંગને ચિત્ર
૫. ૪