________________
પદ્દન
જ કરી શકે. પરંતુ તુરી, વેમ, વગેરે પટથી ભિન્ન હોવા છતાં પટને ઉત્પન્ન કરે જ છે. જે કારણ (અવયવો) અને કાર્ય (અવયવી) અભિન્ન જ હોય છે એવું માનીશું તો આપણા માટે એ સમજાવવું મુશ્કેલ બની જશે કે શા માટે પટ પટને ઉત્પન્ન નથી કરતો ? અવયવો કારણ છે અને અવયવી કાર્ય છે એટલે તેમનો અભેદ છે એવો વિરોધી મત અગ્ય છે. ૮
(૧૦) જે અવયવો જે અવયવીથી ભિન્ન દેખાય છે તે અવયવો તે અવયુવીના હોતા નથી પણ બીજા અવયવીના હોય છે. ચક્ર વગેરે થાવયો. પટેથી ભિન્ન છે એટલે તે પટના અવયવો નથી પણ રથના અવયવો છે. જે ચક્ર વગેરે અવયવો જેમ પટથી ભિન્ન છે તેમ રથથી પણ ભિન્ન જ હોય તો તે ચક્ર વગેરે અવયવો તંતુઓની જેમ રથથી ભિન્ન કઈ વસ્તુના હોવા જોઈએ. પરંતુ ચક્ર વગેરે અવયવો રથથી ભિન્ન કોઈ બીજી વસ્તુના હોતા નથી. આ ઉપરથી સાબિત થાય છે કે ચક્ર વગેરે અવયવો રથથી ભિન્ન નથી. આ પ્રમાણે વિરોધી અવયવી અવયવોથી અભિન્ન છે એમ વૈશેષિકને જણાવે છે.
આના ઉત્તરમાં ઉદ્યોતકર કહે છે કે અભેદ પુરવાર કરવા જે શરત અનિવાર્ય નથી તેમ જ જે ખરેખર જ્યાં અભેદ નિર્વિવાદપણે હોય છે ત્યાં હતી પણ નથી તે શરતની વિધીએ કલ્પના કરેલી છે. અને સાથે અભેદ હોવા માટે અનું નથી ભિન્ન કઈ વસ્તુના અવયવ ન હોવું જરૂરી નથી. અને પિતાના સ્વભાવ સાથે અભેદ નિર્વિવાદ છે પરંતુ આપણે અને વિશે અમ ન કહી શકીએ કે અ પિતાના સિવાય બીજી કઈ વસ્તુનો અવયવ નથી કારણ કે વસ્તુ પોતે પિતાનો અવયવ હોય એ શક્ય નથી.૭૦ . (૧૧) અવયવી અવયમાં સમવાય સંબંધથી રહે છે એવો વૈશેષિક સિદ્ધાંત
છે. વિરોધી વૈશેષિકને પૂછે છે કે અવયવી તેના પ્રત્યેક અવયવમાં પૂરેપૂરો (g7) રહે છે કે થોડા થોડા (રા) રહે છે ? પહેલો વિકલ્પ વૈશેષિક સ્વીકારી શકે તેમ નથી કારણ કે અવયવ કરતાં અવયવીનું પરિમાણુ મોટું હોઈ અવયવી તેના એક અવયવમાં પૂરેપૂરે સમાઈ જ ન શકે. વળી, પહેલે વિકલ્પ સ્વીકારતાં અવયવી પ્રથમ અવયવમાં જ પૂરેપૂરે સમાઈ જાય અને બાકીના અવયમાં અવયવી રહે જ નહિ, પરિણામે અનેક અવયવોમાં અવયવી રહે છે એ વૈશેષિક સિદ્ધાંત જ ભાંગી પડે.૭૨ બીજો વિકલ્પ પણ વૈશેષિક સ્વીકારી શકે તેમ નથી કારણ કે તેને સ્વીકાર કરતાં અવયવીનું એકતત્વ જોખમાય અને તે પોતે અનેક વસ્વભાવવાળો અર્થાત અવયવસમૂહરૂપ બની જાય. ઉપરાંત,