________________
પદને
છે; સંગસંબંધથી નહિ. તેથી અવયવીને પોતાનું વજન હોય છે એ સ્વીકારવું જોઈએ. અહીં કેઈ પ્રશ્ન ઊઠાવી શકે કે અવયવી સાથે સમવાયસંબંધ ધરાવતા અવયવોનું વજન અવયવીના પતનમાં હેતુ બને છે એમ સ્વીકારવામાં વૈશેષિકને શું વધે છે અર્થાત અવયવોના વજનની સહાયથી સમવાય અવયવીના પતનમાં હેતુ બને છે એમ વૈશેષિકે શા માટે નથી સ્વીકારતા ? આ પ્રશ્નના જવાબમાં ઉદ્યોતકર જણાવે છે કે સૂત્રકારે સંયોગને જ ક્રિયાતુ તરીકે ગણુવ્યો છે પરંતુ તેમણે ક્યાંય સમવાયને ક્રિયા હેતુ તરીકે ગણું નથી. વળી, સમવાયને ક્રિયા હેતુ તરીકે સ્વીકારતાં અનેક આપત્તિઓ અને દોષ આવે છે. ૪ - અવયવો અને અવયવીને પિતાનાં જુદાં જુદાં વજન હોવા છતાં તેવું આપણને જણાતું નથી એ બાબતે શ્રીધર જણાવે છે કે અવમાંથી અવયવી ઉત્પન્ન થતાં વજનમાં જે વધારો થાય છે તે ખૂબ જ નજે હોવાથી આપણે વજન કરવાનો કાંટો તે વધારે દર્શાવતો નથી; ઉદાહરણાર્થ, જ્યારે મોટી વસ્તુનું વજન કરવામાં આવે છે ત્યારે તેને ગ્રેટેલા સુક્ષ્મ અન્ય દ્રવ્યનાં કણાનું વજન કાંટો દર્શાવતું નથી. ૫ શ્રીધરનો આ ખુલાસો તે કંઈ ખુલાસો કહેવાય ! - અવ્યવો અને અવયવીને પોતપોતાનાં જુદાં જુદાં વજન હોય છે એ સિદ્ધ કરવાના વૈશેષિક-નાયિકના મરણિયા પ્રયાસો દર્શાવે છે કે અવયવો (કારણુ) અને અવયવી (કાર્ય) બંનેને એકબીજાથી તદ્દન ભિન્ન દ્રવ્ય માનવાને તેમનો સિદ્ધાંત કેટલે નબળો છે.
(૬) અવયવોથી ભિન્ન અવયવીને માનનાર વૈશેષિકને વિરોધી નીચે પ્રમાણે દોષ દે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો અવયવ ન હોઈ શકે, જેમ કે ગાય અશ્વનો અવયવ નથી. તંતુઓ અવયવો છે અને પટ અવયવી છે. તેથી માનવું જોઈએ કે પટ તંતુઓથી ભિન્ન દ્રવ્ય નથી. આમ અવયવી અવયવોથી ભિન્ન દ્રવ્ય નથી એ પુરવાર થાય છે.
વૈશેષિક વિધીની દલીલને જવાબ નીચે પ્રમાણે આપે છે. જે પટને તંતુઓથી ભિન્ન દ્રવ્ય ન માનીએ તે તંતુઓનું અવયવપણું જ અશક્ય બની જાય. અવયવો અવયવીની અપેક્ષા રાખે છે. જે અવયવીના અસ્તિત્વને નકારવામાં આવે તે અવયવોને પિતાના અસ્તિત્વનું બીજ-કારણુજ ન રહે અર્થાત અવયવીને અસ્તિત્વને ન સ્વીકારીએ તે અવયવોનું અસ્તિત્વ પણ જોખમાય. વળી, પટના તંતુઓ એમ આપણે જે છઠ્ઠી વિભક્તિને પ્રયોગ કરીએ છીએ તે પણ પટ અને તંતુઓને ભેદ જ દર્શાવે છે. ઉપરાંત, બે અભિન્ન દ્રવ્યમાં એક અવયવ