SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદર્શન ૪૫ ના વજનથી કારણ વ્ય(અવયવો)નું વજન હોવા છતાં પ્રતિબન્ધ પામે છે. અવયવીના વજનથી અવયવોનું વજન નાશ પામે છે યા પ્રતિબન્ધ પામે છે. આ બેમાંથી એકેય વિકપનો સ્વીકાર કરવો ઉદ્યોતકરને મુશ્કેલ લાગે છે કારણ કે કારણ (અવયવો) અને કાર્ય (અવયવી) બન્નેને એકબીજાથી તદ્દન ભિન્ન તેમ જ એક કાળે સાથે રહેતાં માનવાં અને કહેવું કે એકનું વજન કાં તો નાશ પામ્યું છે ત્યા પ્રતિબન્ધ પામ્યું છે તે સંગત નથી, ઉચિત નથી.50 ઉદ્યોતકરની સમક્ષ નીચેની સમસ્યા ખડી થાય છે. કારણ (અવયવો) અને કાર્ય (અવયવી) બંનેને પોતપોતાનાં જુદાં જુદાં વજનો છે, બેમાંથી કોઈનું વજન બીજાના વજનથી નાશ નથી પામતું કે પ્રતિબંધ નથી પામતું, તો પછી તે જુદાં વજનો આપણને જણાતાં કેમ નથી? ઉદ્યોતકર આ સમસ્યાને વિચિત્ર તરકીબથી ખુલાસો કરે છે. તે કહે છે કે કાર્યાનું વજન જે ખરેખર કારણના વજનથી. ભિન્ન છે તે આપણને જણાતું નથી કારણ કે કુલ વજનમાંથી કેટલું વજન કારણનું છે અને કેટલું વજન કાર્યનું છે તે નક્કી કરવું આપણે માટે અશક્ય. છે. જ્યારે દ્રવ્યનું વજન કરવામાં આવે છે ત્યારે સમજવું જોઈએ કે પરમાણુથી માંડી છેલ્લા કાર્યક્રવ્ય સુધીનાં બધાં જ દ્રવ્યને સમાહારનું વજન કરવામાં આવે છે અને નહિ કે કેવળ છેલ્લા કાર્યક્રવ્યનું. આમ કાંટા ઉપર દર્શાવતું વજન કેવળ છેલ્લા કાર્યક્રવ્યનું નથી હોતું પણ તે તો પરમાણુઓ, છેલ્લા કાર્યદ્રવ્ય, તેમ જ પરમાણુઓ અને છેલ્લા કાર્યક્રવ્ય વચ્ચેના બધાં જ દ્રવ્યનું સામટું વજન હોય છે. એટલે સામાન્ય માણસને માટે એ નકકી કરવું મુશ્કેલ છે કે આટલું વજન કારણનું છે અને આટલું વજન કાર્યનું છે. ઉદ્યોતકરનો આ ખુલાસો સંતાપકારક નથી લાગતો. સ્વીકારી લઈએ કે વસ્તુનું કરાયેલું વજન કારણ અને કાર્યની લાંબી પરંપરાનું સામટું વજન છે અને એમાંથી તેનું કેટલું એ નકકી કરવું અશક્ય છે તો પણ પ્રશ્ન વણઉકેલ્યો રહે છે કે જ્યારે નવું દ્રવ્ય પિતાના વજન સાથે ઉત્પન્ન થાય છે ત્યારે વજન વધતું કેમ નથી? ઉદ્યોતકર નીચે પ્રમાણે પુરવાર કરે છે કે કાર્યને (અવયવીને) કારણથી (અવયવોથી) જ પિતાનું વજન હોય છે. જે અવયવીને અવયવોના વજનથી જુદું પોતાનું વજન ન હોય તો તેનો આધાર દૂર થતાં તે કદી પડે નહિ, કારણ કે દ્રવ્યનું પતન તેના પિતાના વજનને લીધે થાય છે. એમ ન માની શકાય કે અવયવોના વજનથી અવયવીનું પતન થાય છે, કારણ કે જ્યારે બે દ્રવ્ય એકબીજા સાથે સંયોગસંબંધથી જોડાયેલાં હોય ત્યારે જ એકનું વજન બીજના પતનમાં કારણભૂત બને છે પરંતુ અવયવી તો અવયવોમાં સમવાયસંબંધથી રહે
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy